રાજકોટ TRP ગેમઝોન આગ દુર્ઘટનામાં 28 મૃતકો પૈકી 13ની થઇ ઓળખ હજુ 15 મૃતકોની ઓળખ બાકી, 8 મૃતદેહ પરિવારને સોંપાયા - At This Time

રાજકોટ TRP ગેમઝોન આગ દુર્ઘટનામાં 28 મૃતકો પૈકી 13ની થઇ ઓળખ હજુ 15 મૃતકોની ઓળખ બાકી, 8 મૃતદેહ પરિવારને સોંપાયા


રાજકોટમાં બે દિવસ પૂર્વે ટી.આર.પી. ગેમઝોનમાં થયેલી આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ અને ડીએનએ મેચિંગ બાદ તેમના પરિવારજનોને સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ગાંધીનગર FSLમાંથી ડી.એન.એ. મેચિંગનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા પરિવારજનોનો સંપર્ક કરી મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે. જેમાં અત્યાર સુધી 28 મૃતદેહો પૈકી 13 મૃતદેહના DNA સેમ્પલ મેચ થયાનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જે પૈકી 8 મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવ્યા છે. જયારે બાકી મૃતદેહની રાહમાં સતત ત્રણ ત્રણ રાતથી સ્વજનો ઉજાગરા કરવા પડી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.