અમારા વિસ્તારમાં આવવું નહિ કહી યુવકે અરવિંદભાઈ વાળાને છરી મારી દીધી - At This Time

અમારા વિસ્તારમાં આવવું નહિ કહી યુવકે અરવિંદભાઈ વાળાને છરી મારી દીધી


શહેરનાં 80 ફૂટ રોડ આંબેડકરનગરમાં રહેતાં અરવિંદભાઈ વાળા સગાને ત્યાં થોરાળામાં ગયા હતા ત્યારે યુવકે અમારા વિસ્તારમાં આવવું નહિ કહી છરી મારી દેતાં તેઓને ઇજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવની વિગત મુજબ 80 ફૂટ રોડ આંબેડકરનગરમાં રહેતાં અરવિંદભાઈ ભીખાભાઈ વાળા (ઉ.વ.36) તેઓ ગઈ કાલે રાત્રિના 11 વાગ્યાં આસપાસ સગાને ત્યાં થોરાળામાં જીગ્નેશભાઈના ઘરે ગયા હતા. બાદ ઘરે પરત જતાં હતાં ત્યારે કેવલ કિશોરભાઈ સોંદરવા (ઉ.વ.21) નામનાં યુવકે અમારા વિસ્તારમાં આવવું નહી કહી ઝઘડો કરી અરવિંદભાઈને પેટમાં છરી મારી દીધી હતી.
બાદ તાકિદે તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓ કડિયાકામ કરે છે. અને તેઓને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. બનાવ અંગે થોરાળા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.