આંઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં પોષણ સાયકલ રેલી યોજવામાં આવી - At This Time

આંઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં પોષણ સાયકલ રેલી યોજવામાં આવી


આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મહીસાગર જીલ્લાના આઈ.સી.ડી.એસ શાખાના પ્રોગ્રામ ઓફિસર દ્વારા આયોજન કરીને જિલ્લાના કુલ-૧૩૧૬ આંગણવાડી કેન્દ્રોમાં કુલ-૨૧૪૨૬ કિશોરીઓએ ભાગ લઈ પોષણ સાયકલ રેલીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તમામ કિશોરીઓ ઉત્સાહભેર ભાગ લઈને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.  કિશોરીઓ દ્વારા સ્લોમાં સાયકલ ચલાવીને વિજેતા થયેલા ૧ થી ૩ નંબરે આવેલ કિશોરીઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આંગણવાડી કાર્યકરો દ્વારા આંગણવાડી કેન્દ્રોમાંથી કિશોરીઓને અપાતા લાભો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આઈસીડીએસ ની પોષણ અને બિનપોષણ સેવાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. મહીસાગર જીલ્લામાં આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કિશોરીઓ અને આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.