સાયલા ગ્રામ પંચાયત દ્વારા સ્નાનઘાટ બનાવવા માટે ના સહયોગી દાતાઓનું સન્માન કરાયું - At This Time

સાયલા ગ્રામ પંચાયત દ્વારા સ્નાનઘાટ બનાવવા માટે ના સહયોગી દાતાઓનું સન્માન કરાયું


સાયલા ગ્રામ પંચાયત દ્વારા સાયલાના સામુહીક સ્મશાન માં નવનિર્મિત સ્નાનઘાટ બનાવામા આવ્યું હતું જેમાં ગ્રામ પંચાયત તથા ગામલોકો તથા સાયલાના ભામાશા દાતાઓ ના સહયોગ મહત્વ નો હતો. લોક ઉપયોગી કાર્ય થતા ગ્રામપંચાયત સરપંચ અજયરાજસિંહ ઝાલા તથા ગ્રામપંચાયત સભ્યો દ્વારા સ્મશાન ના મેદાનમાં દાતાઓનું સન્માન કરાયું હતું. આ સન્માન કાર્યક્રમમાં મુખ્ય સાયલા ના ધારાસભ્ય કિરીટસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાયલા મહાજન પાંજરાપોળ ટ્રસ્ટી જીતુભાઈ શાહ, ક્વોરી એસોસિઅન ના પ્રમુખ ગોવિંદભાઇ જોગરાણા, ઉદ્યોગપતી તથા રાજકીય અગ્રણી રૈયાભાઈ રાઠોડ, નરેન્દ્રભાઈ દુબલ તથા દરેક સમાજ ના અગ્રણી ઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ પણ જણાવ્યું હતું એક હાથથી કામ ન થાય સૌના સાથ સહકાર થી તમામ કાર્ય પૂર્ણ કરી શકાય છે. સાયલા ગ્રામપંચાયત સરપંચ અજયરાજસિંહ ઝાલા તથા તેમની ગ્રામપંચાયત ટીમ દ્વારા સન્માન કાર્યક્રમ માં અને તેમા સહયોગી દાતા શ્રિ નો સન્માન કાયઁક્રમ સ્મશાન મા આવેલ તમામ લોકોનો આભાર વ્યક્ત કાર્યો હતો.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.