મહીસાગર મહાકાલ સેના, રાજપૂત સમાજ દ્વારા કેન્ડલ સળગાવી, પુષ્પ અર્પણ કરી મૌન પાળીને શ્રદ્ધાંજલિ - At This Time

મહીસાગર મહાકાલ સેના, રાજપૂત સમાજ દ્વારા કેન્ડલ સળગાવી, પુષ્પ અર્પણ કરી મૌન પાળીને શ્રદ્ધાંજલિ


મહિસાગર જિલ્લા મુખ્ય મથક લુણાવાડા મહારાણા પ્રતાપ ચોક, કોટેજ ચોકડી પર આવેલ રાજપૂત સમાજ ભવન ખાતે મહીસાગર જીલ્લાના મહાકાલ સેના અને રાજપૂત સમાજના આગેવાનો દ્વારા રાજકોટ TRP ગેમ ઝોનમાં મૃત્યુ પામેલા દિવાંગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જ્યારે 25 મેના દિવસે રાજકોટના કાલાવડ રોડ પરના TRP ગેમ ઝોનની આગમાં 28 જિંદગી બળીને ખાખ થઈ હતી. આ ઘટના ખુબજ દુઃખદ છે ત્યારે, આ ગેમઝોન મૃત્યુ પામેલા દિવાંગતોને રાજ્યભરમાં શ્રધાંજલિ આપવામાં આવી રહી છે.ત્યારે મહીસાગર જીલ્લાના મહાકાલ સેના દ્વારા TRP ગેમ ઝોનના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.કેન્ડલ સળગાવી, પુષ્પ અર્પણ કરી મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.