પોરબંદરમાં નવી સ્ટ્રીટલાઈટ શરૂ કરવા માટે એક મહિનાથી જોવાઈ રહી છે રાહ - At This Time

પોરબંદરમાં નવી સ્ટ્રીટલાઈટ શરૂ કરવા માટે એક મહિનાથી જોવાઈ રહી છે રાહ


પોરબંદરના સામા કાંઠે અનેક સોસાયટીઓ આવેલી છે અને ત્યાં અવરજવર કરતા લોકોને રાત્રિના સમયે સ્ટ્રીટલાઇટના અભાવે ખૂબજ પરેશાની વેઠવી પડતી હતી. તેથી નગરપાલિકાના તંત્રને તે અંગેની વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી અને તે અનુસંધાને એક મહિના પહેલા બોખીરાથી રોકડીયા હનુમાનના મંદિર સુધી સ્ટ્રીટ લાઈટ ફીટ કરી દેવામાં આવી છે. પરંતુ હજુ સુધી તેને શરૂ કરવામાં આવી નથી. નગરપાલિકામાંથી એવુ જાણવા મળ્યુ છે કે વીજતંત્રને મીટર સહિત કનેકશન માટે રજુઆત કરી છે. પરંતુ હજુ સુધી વીજતંત્ર એ આ મુદે આગળની કાર્યવાહી કરી નથી તેથી વહેલીતકે આ કામગીરી થાય અને સ્ટ્રીટલાઇટો ઝળહળતી થાય તો આ વિસ્તારમાં રહેતા લોકોને અને હાઇવે પરથી પસાર થતા વાહનચાલકોને પણ રાહત થશે.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.