જુનાગઢ મનોરંજન સર્કિટ હાઉસમાં છત માંથી પાણી ટપકતું હોય રીપેર કરવા ટિમગબ્બરની માંગ - At This Time

જુનાગઢ મનોરંજન સર્કિટ હાઉસમાં છત માંથી પાણી ટપકતું હોય રીપેર કરવા ટિમગબ્બરની માંગ


જુનાગઢ મનોરંજન સર્કિટ હાઉસમાં છત માંથી પાણી ટપકતું હોય રીપેર કરવા ટિમગબ્બરની માંગટીમ ગબ્બર ગુજરાતના કાંતિ. એચ.ગજેરા એડવોકેટ તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા મુખ્યમંત્રી, સચિવ આર એન્ડ. બી.વિભાગ તથા કલેકટર જૂનાગઢ સહિતનાં ને લેખિત રજુઆત કરી જણાવેલ છે કે, જુનાગઢ મનોરંજન સર્કિટ હાઉસમાં થોડા સમય પહેલા ઘણો મોટો ખર્ચ કરવામાં આવેલ હોય અને હાલ ચોમાસાની સિઝન ચાલુ હોય આ સર્કિટ હાઉસની છતમાંથી સતત પાણી ટપકતું હોય અને સર્કિટ હાઉસમાં ઉતરનાર લોકોને ઘણી મોટી અગવડતાઓ ઉભી થતી હોય તથા ડાઇનિંગ હોલમાં તથા અન્ય જગ્યાએ રાખવામાં આવેલા કિંમતી સોફા તથા અન્ય ચીજવસ્તુઓ બગડી જવાનો સંભવ હોય તેમજ ખુબજ કિંમતી પંખાઓ માંથી પણ પાણી ટપકતું હોય આ અંગે તાત્કાલિક પગલાં ભરી જુનાગઢ માં આવેલ ઉપરોક્ત પી.ડબ્લ્યુ.ડી.હસ્તકના ઉપરોક્ત સર્કિટ હાઉસને તાત્કાલિક રીપેર કરાવવા અમારી માંગ સાથે રજુઆત છે.અમો ટિમ ગબ્બરની ઉપરોક્ત રજુઆતની ગંભીરતા ધ્યાને લઈ આ રજુઆત લાગુ પડતા વિભાગમાં રજુ કરી કરાવી આ પ્રશ્નનું તાત્કાલિક નિવારણ લાવવા ટીમ ગબ્બરની માગણી સાથે રજુઆત છે અને આ બાબતે કાર્યવાહી કરી,કરાવી કરેલ કાર્યવાહીનો લેખિત જવાબ નાગરિક અધિકાર પત્ર અન્વયે ટીમ ગબ્બરનાસરનામે મોકલી આપવા અરજ કરેલ હોવાનું ટિમ ગબ્બર ગુજરાતના વિસાવદર ના એડવોકેટ નયનભાઈ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.