વધુ એક પેગ દારૂ પીવાનું કહીં ગાળો આપતાં મિત્ર વિનોજને મોતને ઘાટ ઉતાર્યો ’તો - At This Time

વધુ એક પેગ દારૂ પીવાનું કહીં ગાળો આપતાં મિત્ર વિનોજને મોતને ઘાટ ઉતાર્યો ’તો


બે દિવસ પહેલાં ઘરેથી ફેરી કરવાં નીકળેલો 22 વર્ષીય યુવાન ગુમ થયાં બાદ તેની રૈયાધાર ડ્રિમ સીટી નજીકથી હત્યા કરેલ લાશ મળતાં ખળભળાટ મચી ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, એલસીબી સહિતની ટીમે તપાસનો ધમધમાટ આદર્યો હતો. દરમિયાન પોલીસને હત્યાના બનાવમાં સફળતા મળી હતી અને સીસીટીવીમાં એક શખ્સ નજરે પડતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી અજય વાજેલીયાને રાધનપુરથી દબોચી લીધો હતો. ધરારીથી વધું એક પેક દારૂ પીવાનું કહીં ગાળો આપતાં મિત્ર વિનોજને મોતને ઘાટ ઉતાર્યાની કબુલાત આપી હતી.
બનાવ અંગે રૈયાધારમાં રાધે શ્યામ ગૌશાળા પાસે મચ્છુનગર આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં હિરાબેન દિનેશભાઈ ચેલાભાઈ રાફુચા (ઉ.વ. 40) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓને સંતાનમાં બે દિકરા છે. જેમા મોટો દિકરો વિનોજ (ઉ.વ.22) અને નાનો દિકરો જીતુ (ઉ.વ.15) છે. તેણીને પતિ સાથે અણબનાવ બનતા બારેક વર્ષથી રાજકોટમાં તેમના છોકરા સાથે મુકી અમદાવાદમાં મકરબા ગામમાં રહે છે. વિનોજના લગ્ન ચાર વર્ષ પહેલા સુરેન્દ્રનગરના વઢવાણમાં રહેતા મેઠાભાઈની દિકરી હેતલ સાથે કરેલ હતાં. તેને સંતાનમાં એક બે વર્ષની દિકરી છે. પત્ની સાથે વિનોજને અણબનાવ થતા છેલ્લા સાત-આઠ મહિનાથી તેણી તેના માવતરે જતી રહેલ છે.
ફરિયાદીનો પુત્ર વિનોજ તેના નિત્યક્રમ પ્રમાણે સવારના આઠથી નવ વાગ્યાની વચ્ચે ઘરેથી પેડલ રીક્ષા લઈ શહેરની સોસાયટીઓમાં ફરી ભંગાર ભેગો કરી બપોરના ભંગારના ડેલે ભંગાર વેચી અને એક દોઢ વાગે ઘરે આવતો રહે અને સાંજના અમારા ઘર પાસે આવેલા કવાર્ટરમાં તેના મિત્રો સાથે બેસવા જવાનું કહી જતો હોય છે. તેમજ રાતના સમયે તેમનો દીકરો ઘરે હોય ત્યારે ફોનમાં કોઈ સાથે વાતો કરતો હોય છે પરંતુ પૂછવાથી કોની સાથે વાત કરે છે તે જણાવતો ન હતો.
ગઈ તા. 29/06/2024 ના સવારના સાડા આઠેક વાગ્યે વિનોજ પેડલ રિક્ષા લઈ ભંગારની ફેરી માટે ગયેલો હતો. ત્યારબાદ તેણી દીકરાના કપડા લેવા માટે શનિવારીમાં માર્કેટયાર્ડ પાસે ગયેલી અને કપડાં લઈ બપોરના દોઢેક વાગ્યે ઘરે આવેલ હતાં. દરમિયાન તેમનો દીકરો વિનોજ ઘરે આવેલ ના હોય જેથી દીકરીને પાડોસમાં રહેતા બહેન રેખાના ઘરે મોકલેલ અને તેણીએ ફોન કરતાં વિનોજે કહેલ કે, માલ વેચીને આવું છું.
બાદમાં બે કલાક બાદ પણ મારો વિનોજ ઘરે ના આવતા પાડોશી ના ફોનમાંથી ફોન કરાવતા ફોન સ્વીચ ઓફ બતાવેલ હતો. બાદમાં તેઓ તેમની બહેન સાથે રામાપીર ચોકડીએ આવેલ ભંગારના ડેલે ગયેલ તો ત્યાં ડેલો બંધ હોય અને તેના માલિક સાથે વાત કરેલી તો કહેલ કે, વિનોજ અહીં આવેલ નથી જેથી સગાને જાણ કરી બોલાવી આખી રાત તેની શોધખોળ કરેલી પરંતુ તેનો ક્યાંય પતો લાગેલ નહીં, બાદમાં સવારે પોલીસ સ્ટેશનમાં પુત્ર ગુમ થયાની જાણ કરેલ હતી.
ત્યારબાદ તેણી સંબંધી સાથે પુત્રને શોધતા હતા ત્યારે બપોરના સમયે ડ્રીમ સિટી રસ્તાની બાજુમાં ખાલી પ્લોટમાં વિનોજની પેડલ રીક્ષા ત્યાં પડેલ હતી. બાદમાં આજુબાજુમાં તપાસ કરતા ત્યાં રોડ ઉપર આવેલા કચરાના ઢગલા તથા બાવળના ઝાડી ઝાંખરાવાળા પ્લોટમાં અંદર શોધતા વિનોજના ચપ્પલ ત્યાં પડેલ હોય અને બાજુમાં કપડું ઓઢાલેળ કંઈક પડેલ હોય જેથી કપડું દૂર કરતા તેમનો દીકરો મોઢાના તથા માથાના ભાગે લોહી લુહાણ હાલતમાં મૃત હાલતમાં પડ્યો હતો. બાદમાં તેઓના સબંધીએ 108 ને જાણ કરતાં દોડી આવેલ 108 ની ટીમે યુવાનને મૃત જાહેર કર્યો હતો.
બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં હત્યાની કલમ હેઠળ ગુનો નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, એલસીબીની મળેલ ચોક્કસ બાતમીના આધારે હત્યારા અજય ગોવિંદ વાજેલીયા (ઉ.વ.22),(રહે. મચ્છુનગર આવાસ યોજના ક્વાર્ટરની સામે, રાધેશ્યામ ગૌશાળા પાસે, રૈયાધાર) ને રાધનપુરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પૂછતાછમાં તે અને મૃતક વિનોજ છેલ્લા એક વર્ષથી પરિચયમાં હતાં. ગઈ તા.30 ના આરોપી અને મૃતક બંને ડ્રિમસીટી નજીક દારૂ પીવા માટે ગયાં હતાં. બાદમાં મૃતક વિનોજ દારૂના નશામાં આરોપીને વધું દારૂ પીવા માટે દબાણ કરતો હતો. જેથી તેને દારૂ પીવા માટે ના પાડતાં તે ઉશ્કેરાયો હતો અને આરોપીનો કાંઠલો પકડી ઝઘડો કરવાં લાગ્યો હતો અને ગાળો દેવાં લાગતાં આરોપીએ તેને ગાળો દેવાની ના પાડી એક ઈંટનો ઘા મારી દેતાં તે નીચે પડી ગયો હતો. પરંતુ તે નશામાં ગાળો દેવાનું ચાલુ રાખતાં આરોપીએ તેને બીજો ઈંટનો ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દિધો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.