લીલીયા ના પુંજાપદર ગામે દીપડાએ કરેલ હુમલા ના ભોગ બનનાર માલધારી ને સાંત્વના પાઠવતા ધારાસભ્ય કસવાલા - At This Time

લીલીયા ના પુંજાપદર ગામે દીપડાએ કરેલ હુમલા ના ભોગ બનનાર માલધારી ને સાંત્વના પાઠવતા ધારાસભ્ય કસવાલા


સ્થળ પરથી અધિકારીઓ ને પૂરતી અને ઝડપી સહાય માલધારી ને આપવા ધારાસભ્ય દ્વારા સૂચના અપાઈ

લીલીયા તાલુકાના પૂજાપાદર ગામે ગઈકાલે ગોવિંદભાઈ રાતડીયા ના ઝોકમાં ઘેટા બકરા પર દીપડાએ હુમલો કરેલ અને જેમાં 19 જેટલા ઘેટા બકરા ના મોત અને 5 જેટલા ઘેટા બકરા ને ઈજા થયેલ હોય ત્યારે માલધારી ગોવિંદભાઈ પર આભ તૂટી પડેલ હોય ત્યારે આ ઘટના ની જાણ વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ને થતા માલધારી ગોવિંદભાઈ રાતડીયા ને મળી સાંત્વના પાઠવી દુઃખ વ્યક્ત કરેલ અને સ્થળ પરથી પૂરતી અને ઝડપી સરકારશ્રી માંથી સહાય મળે તે માટે વન વિભાગના અધિકારીઓને ધારાસભ્યશ્રી દ્વારા સૂચના આપવામાં આવેલ આ તકે તાલુકા ભાજપ પ્રમુખ જીગ્નેશ સાવજ, વિપુલભાઈ દુધાત, ભીખાભાઈ ધોરાજીયા, ભનુભાઈ ડાભી,પુંજાપાદર સરપંચ ગોરધનભાઈ વેકરીયા,ઘનશ્યામ મેઘાણી, બાલાભાઈ ભરવાડ, શાંતિભાઈ સવસવિયા, ડાયાભાઈ માલવિયા,હિતેશ પરમાર,હરજી ભાઈ રાઠોડ,દિનેશભાઈ રાદડિયા,સહિત ના ગ્રામ જનો કાર્યકરો ઉપસ્થિત રહેલ તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે

રિપોર્ટર
ઈમરાન.એ.પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image