ગંદકી ફેલાવતી 8 દુકાનને સીલ લગાવતી મનપા - At This Time

ગંદકી ફેલાવતી 8 દુકાનને સીલ લગાવતી મનપા


પાનના ગલ્લાઓ હવે ધંધા માટે મનપાના શરણે

રાજકોટ મહાનગરપાલિકાએ સ્વચ્છતા સર્વેક્ષણમાં સારા ગુણ મેળવવા માટે હવે આકરી કાર્યવાહી હાથ ધરી છે. જેના ભાગરૂપે ગંદકી કરતા એકમોને માત્ર વહીવટી ચાર્જ જેટલી મામૂલી સજા કરવાને બદલે ધંધા-રોજગાર જ બંધ કરી દેવા એકમોને સીલ કરી દેવામાં આવે છે. આ કામગીરી છેલ્લા કેટલાક સમયથી બંધ હતી. ઘણા વિસ્તારોમાંથી સારા પરિણામો મળવાના શરૂ થયા હતા. જો કે, ફરીથી સ્થિતિ બગડતા એક જ દિવસમાં આઠ દુકાનો સીલ કરી હતી. હવે આ તમામ પાનના ગલ્લાઓએ ધંધો શરૂ કરવા મનપાને પોતે ગંદકી નહીં કરે તેવું કહેવું પડશે. ત્યારબાદ ક્યારે સીલ ખુલે તે નક્કી નહીં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.