ગૌસેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ બોટાદ દ્વારા રૂપિયા 52,70,784 નું મહાજન પાંજરાપોળ અને ગૌશાળામાં દાન - At This Time

ગૌસેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ બોટાદ દ્વારા રૂપિયા 52,70,784 નું મહાજન પાંજરાપોળ અને ગૌશાળામાં દાન


ડો.અમિતભાઈ ડી.ડુંગરાણી તથા તેમના ગ્રુપના 250 થી વધુ સભ્યો દ્વારા દૈનિક માત્ર રૂપિયા 10 લેખે માસિક રૂપિયા 300 નું અનુદાન મેળવી ટુંકા સમયગાળાની અંદર રૂપિયા 52,70,784 જેવી માતબર રકમ ની અબોલ જીવો માટે ઘાસચારા તથા સ્વાસ્થ્ય ને લગતી સેવાઓ બોટાદ,પાળીયાદ, તથા રાણપુર મહાજન પાંજરાપોળ તથા આજુબાજુની વિવિધ ગૌ શાળામાં દાન કરવામાં આવેલ છે. ટીપે ટીપે સરોવર ભરાય કહેવત ચરિતાર્થ કરતી ઉત્તમ સેવા કરવાનું ગૌ સેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ બોટાદ દ્વારા ઉદાહરણ પૂરું પાડેલ છે. પાળીયાદ મહાજન પાંજરાપોળ ડો.અમિતભાઈ ડી. ડુંગરાણી તથા ગૌ સેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ બોટાદ સાથે જોડાયેલ દરેક સભ્યોનો અંત કરણ પૂર્વક આભાર માને છે તથા વધુને વધુ વ્યક્તિઓ આવી નિસ્વાર્થ સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાય તેવો અનુરોધ કરે છે એમ કનુભાઈ ખાચરની યાદી જણાવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.