વેરાવળ-ઓખા એક્સપ્રેસ ટ્રેનનું સમયપત્રક 8મી જુલાઇ સુધી ફરીથી રિશેડ્યુલ કરવામાં આવ્યું છે - At This Time

વેરાવળ-ઓખા એક્સપ્રેસ ટ્રેનનું સમયપત્રક 8મી જુલાઇ સુધી ફરીથી રિશેડ્યુલ કરવામાં આવ્યું છે


વેરાવળ-ઓખા એક્સપ્રેસ ટ્રેનનું સમયપત્રક 8મી જુલાઇ સુધી ફરીથી રિશેડ્યુલ કરવામાં આવ્યું છે

તકનીકી કારણોસર, પશ્ચિમ રેલ્વેએ વેરાવળ-ઓખા એક્સપ્રેસ ટ્રેન (19251) ને તાત્કાલિક અસરથી 8 જુલાઈ, 2024 સુધી પુનઃ રીશેડ્યૂલ કરવાનો નિર્ણય લીધો છે. વિગતો નીચે મુજબ છેઃ
ટ્રેન નંબર 19251 વેરાવળ-ઓખા એક્સપ્રેસ તાત્કાલિક અસરથી 08.07.2024 સુધી જેતલસર-વાંસજાળીયા-કાનાલુસ થઈને પરિવર્તિત રૂટ પર ચાલશે. આ સમયગાળા દરમિયાન, આ ટ્રેન વેરાવળથી તેના નિર્ધારિત સમય કરતાં 2 કલાક 55 મિનિટ મોડી એટલે કે 02.00 વાગ્યે ઉપડશે.
રેલ્વે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની પરિચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

માશૂક અહમદ
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક
પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.