સોનાક્ષી સિન્હા ઝહીર ઈકબાલ સાથે રજિસ્ટર્ડ મેરેજ કરશે!:23 જૂને માત્ર વેડિંગ પાર્ટી થશે, ભાઈ લવ સિન્હાએ કહ્યું, 'મને કંઈ ખબર નથી' - At This Time

સોનાક્ષી સિન્હા ઝહીર ઈકબાલ સાથે રજિસ્ટર્ડ મેરેજ કરશે!:23 જૂને માત્ર વેડિંગ પાર્ટી થશે, ભાઈ લવ સિન્હાએ કહ્યું, ‘મને કંઈ ખબર નથી’


સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે હજુ સુધી તેમના લગ્નની સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ તેને લગતી ઘણી વિગતો સામે આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 23 જૂનના રોજ બંનેના રજિસ્ટર્ડ લગ્ન થશે, ત્યારબાદ લગ્નની પાર્ટી હશે. સોનાક્ષીના મિત્રએ ઝૂમ સાથે વાતચીતમાં કહ્યું, 'મને 23 જૂને લગ્નની ઉજવણીમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે. જ્યાં સુધી મને ખબર છે તે બંને 23મી જૂને સવારે રજિસ્ટર્ડ મેરેજ કરશે. આમંત્રણમાં લગ્નની વિધિનો કોઈ ઉલ્લેખ નથી, માત્ર પાર્ટી હશે તેવો ઉલ્લેખ છે'.આ અંગે અભિનેત્રીના પિતા શત્રુઘ્ન સિન્હાની પ્રતિક્રિયા પણ આવી છે. હવે સોનાક્ષીના ભાઈ લવ સિન્હાએ પણ લગ્નના સમાચાર પર પોતાની પ્રતિક્રિયા આપી છે. હવે એવી અટકળો ચાલી રહી છે કે સોનાક્ષી તેના પરિવારની વિરુદ્ધ જઈને ઝહીર સાથે લગ્ન કરવા જઈ રહી છે. લગ્નની પાર્ટીમાં ઘણા સેલેબ્સ હાજરી આપશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગ્નની પાર્ટીમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ હાજરી આપશે. ગેસ્ટ લિસ્ટમાં આયુષ શર્મા, હુમા કુરેશી, વરુણ શર્મા, સંજય લીલા ભણસાલી, ફરદીન ખાન, તાહા શાહ, અદિતિ રાવ હૈદરી, શર્મિન સહગલના નામ સામેલ છે, જેમને લગ્નનું આમંત્રણ મોકલવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્નની પાર્ટી શિલ્પા શેટ્ટીની પ્રખ્યાત રેસ્ટોરન્ટ બાસ્ટન ખાતે યોજાશે જે મુંબઈના બાંદ્રા વેસ્ટમાં સ્થિત છે. 'મારે આ બાબતે કઈ ખબર નથી'- લવ સિન્હા
એક ઇન્ટરવ્યૂમાં લવ સિન્હાએ કહ્યું કે તે હાલ મુંબઈમાં નથી. આ સિવાય તેણે કહ્યું કે, 'મને આ બાબતમાં કંઈ ખબર નથી, મારું આના પર રિએક્શન આપવા અથવા કોઈપણ રીતે સામેલ થવાનો કોઈ ઈરાદો નથી.' તેણે આ સવાલોથી અંતર જાળવી રાખ્યું છે. જાણો શું કહ્યું શત્રુઘ્ન સિન્હાએ
ઝૂમ સાથેની ખાસ વાતચીતમાં જ્યારે શત્રુઘ્ન સિન્હાને તેમની પુત્રી સોનાક્ષીનાં લગ્ન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, 'હું દિલ્હીમાં છું. ચૂંટણીનાં પરિણામો આવ્યાં ત્યારથી હું અહીં છું. મેં હજી સુધી મારી દીકરી સાથે તેની યોજના વિશે વાત કરી નથી. તેણે મને હજુ સુધી કશું કહ્યું નથી. મીડિયામાં મેં જે વાંચ્યું છે એ જ હું જાણું છું. તે જ્યારે પણ મારી સાથે આ અંગે વાત કરશે ત્યારે મારા આશીર્વાદ તેની સાથે હશે. અમે ઈચ્છીએ છીએ કે તેને દુનિયાની બધી ખુશીઓ મળે.' આજકાલનાં બાળકો પૂછવું જરૂરી નથી સમજતાં- શત્રુઘ્ન સિન્હા
શત્રુઘ્ન સિન્હાએ આગળ કહ્યું, 'અમને અમારી દીકરી પર પૂરો વિશ્વાસ છે. તે કોઈ ખોટો નિર્ણય નહીં લે. તે પુખ્ત છે અને પોતાના નિર્ણયો લઈ શકે છે. જ્યારે પણ તેના લગ્ન થશે, હું તેના લગ્નના વરઘોડાની સામે નાચીશ. શુત્રઘ્ન સિન્હાએ આગળ કહ્યું,- 'લોકો મને લગ્ન વિશે પ્રશ્નો પૂછે અને કહે છે કે તમે આ વિશે કશું જાણતા નથી અને મીડિયા બધું જ જાણે છે. આના પર હું એટલું જ કહેવા માગીશ કે આજકાલનાં બાળકો તેમનાં માતા-પિતાને પૂછતાં નથી, તેઓ માત્ર આવીને કહે છે. અમે કહેવાની રાહ જોઈ રહ્યા છીએ.' સોનાક્ષી અને ઝહીર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંને ઘણીવાર ઈવેન્ટ્સમાં સાથે જોવા મળતાં હતાં, પરંતુ બંનેએ પોતાના સંબંધો અંગે મૌન સેવ્યું હતું. હવે આ કપલ લગ્ન કરવા જઈ રહ્યું છે. કપલ 4-5 વર્ષથી એકબીજાને ડેટ કરે છે
અત્યાર સુધી આ અટકળો પર સોનાક્ષી, ઝહીર અને તેમના પરિવાર તરફથી રિએક્શન આપવામાં નથી આવ્યું. સોનાક્ષી અને ઝહીર છેલ્લાં 4-5 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. ભલે તે બંને સાથે હેંગઆઉટ અને પાર્ટી કરતાં જોવા મળે છે, પરંતુ તેમણે ક્યારેય જાહેરમાં તેમના સંબંધોને સ્વીકાર્યાં નથી. બંને હંમેશાં મીડિયા સામે એકબીજાના માત્ર મિત્ર હોવાનું કહેતાં હતાં. 6 જૂન, 2022ના રોજ ઝહીરે સો.મીડિયામાં લેડીલવને જન્મદિવસની શુભેચ્છા પાઠવતો વીડિયો શેર કરીને આઇ લવ યુ કહ્યું હતું. સોનાક્ષીએ પણ કમેન્ટમાં સામે 'આઇ લવ યુ' કહ્યું હતું. કોણ છે શત્રુધ્ન સિન્હાનો ભાવિ જમાઈ?
ઝહીર ઈકબાલનો જન્મ 10 ડિસેમ્બર, 1988માં મુંબઈમાં થયો છે. તેનું પૂરું નામ ઝહીર ઈકબાલ રતનસી છે. ઝહીરે મુંબઈની સ્કોટિશ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો, જ્યાં રણબીર કપૂર તેનો સિનિયર હતો. ઝહીરના પિતા ઈકબાલ રતનસી જ્વેલર અને બિઝનેસમેન છે અને સલમાન ખાનના સારા મિત્ર છે. આ જ કારણ છે કે બોલિવૂડમાં સ્થાન બનાવવા માટે ઝહીરને સલમાનનું પીઠબળ મળ્યું છે. ઝહીર જ્વેલર્સ પરિવારમાંથી આવે છે.
​​​​​​​


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.