નવરાત્રી ના દિવસો માં એક વીર પુરુસ ની યાદ આવે "જોગીદાસ ખુમાણ" - At This Time

નવરાત્રી ના દિવસો માં એક વીર પુરુસ ની યાદ આવે “જોગીદાસ ખુમાણ”


નવરાત્રી ના દિવસો માં એક વીર પુરુસ ની યાદ આવે
જોગીદાસ ખુમાણ
એક દિવસ ખુમાણ ધણહેર માથી નીકળ્યા એક અઢાર વીસ વર્ષ ની દિકરી ને એટલું પુછયુ બેટા કોઈ છે આજુંબાજું માં
છોકરી : ના મારા મામા ને ત્યા મોટી થાવ છુ માં બાપ મરી ગયા છે જોગીદાસ ખુમાણે આગળ વાત કરી કે બેટા હું એમ નથી કહેતો પણ આમ એકલી તુ ધણહેર મા ઢોર ચારે છે તો તારી ઈજ્જત ની તારા શીયળ ની તને બીક નથી લાગતી બેટા ત્યારે એ અઢાર વીસ વર્ષ ની ધણહેર (ગોચર વગડો) મા ઢોર ચારતી દિકરી બોલી હતી કે અમારા વિસ્તાર મા જોગીદાસ ખુમાણ ના બહારવટા છે બાપુ એ.
(દિકરી ને ખબર નથી કે આ જોગીદાસ પોતે છે) કોની તાકાત છે કે મારી સામે પણ જોઈ શકે.

ત્યારે આપા જોગીદાસ ખુમાણે સુરજ નારાયણ સામે જોઈ બેઈ હાથ ઉંચા કર્યા અને એટલુ બોલ્યા કે (ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા ભામણા મરણ જીવણ લગ માણ રાખજે કશ્યપ રાવ)
હે કશ્યપ ના પુત્ર સુરજનારાયણ મારૂ બહારવટું હાલે કે ના હાલે પણ આવી વીસ અઢાર વર્ષની દિકરીઓ જો મારી ઉપર વિશ્વાસ રાખી ને આમ વગડા માં ઢોર ચારતી હોય તો હું જીવુ ત્યા સુઘી મારી ઈજ્જત આવી ને આવી રાખજે બાપ.

(એવી જ રીતે તમારી શેરી મા કે ગામ મા કે સોસાયટી મા આવી નાની દીકરી ઓ એક વિશ્વાસ રાખી ને નવરાત્રી માં ગરબા લેતી હોય કે હજી મારા ગામ નો કે મારી શેરી નો કે મારી સોસાયટી નો ભાઈ જાગે છે તો એનો વિશ્વાસ તુટે નહી અને આપણી ભારતીય સભ્યતા ની લાજ ન જાય . બાકી હેવાનો અને શેતાનોથી આ દુનિયા ભરેલી છે એટલા માટે કોઈ એકલી બેન દિકરી ને જુઓ ત્યારે સોરઠ ના આવા મહાપુરુષ ને યાદ કરજો અને વીચારજો કે આપણે તો આવા આદર્શો લઈ ને જીવનારી પ્રજા છીએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.