અમેરિકા પદ્મશ્રી જગદીશ ત્રિવેદી ના કાર્યક્રમ દરમ્યાન. સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલના નવા બિલ્ડીંગ માટે દાતા ઓ દ્વારા ૨૫ લાખ નું અનુદાન પ્રાપ્ત - At This Time

અમેરિકા પદ્મશ્રી જગદીશ ત્રિવેદી ના કાર્યક્રમ દરમ્યાન. સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલના નવા બિલ્ડીંગ માટે દાતા ઓ દ્વારા ૨૫ લાખ નું અનુદાન પ્રાપ્ત


અમેરિકા પદ્મશ્રી જગદીશ ત્રિવેદી ના કાર્યક્રમ દરમ્યાન. સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલના નવા બિલ્ડીંગ માટે દાતા ઓ દ્વારા ૨૫ લાખ નું અનુદાન પ્રાપ્ત

ઉમરાળા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી તદ્દન નિ:શુલ્ક આરોગ્ય સેવાઓ પ્રદાન ક૨તી સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) ના લાભાર્થે અમેરીકાના બાલટીમોર ગુજરાતી સમાજ દ્વારા તા. ૦૮- જુન ૨૦૨૪ નાં રોજ હાસ્યકાર ડો. જગદિશભાઈ ત્રિવેદી (પદ્મશ્રી) નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ૧૩,૨૦૦ ડોલર કે જેના અંદાજીત રૂપિયા ૧૧ લાખ ઉપરાત હોસ્પિટલના નવા બિલ્ડીંગ માટે અન્ય દાતાશ્રી દ્વારા રૂપિયા ૨૫ લાખ નું અનુદાન પ્રાપ્ત થયેલ છે.આ કાર્યક્રમમાં સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલના કો-સુપ્રિન્ટેન્ડેન્ટ અને ઓપ્થાલ્મોલોજીસ્ટ ડો.જયેશ પટેલ સાહેબ તથા તેમના ધર્મપત્ની ડો.દેવીબેન પટેલ ચિગેસ્ટ તરીકે ખાસ ઉપસ્થિત રહયા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ ગુજરાતી સમાજના ડિરેકટર્સ સર્વશ્રી ભાવિન શાહ, જયેશ જાની, રાજ પટેલ, પ્રિતેશ શાહ, રૂચી પરીખ, રોમી શાહ, ધિરેન શાહ અને અતુલ પટેલ નો હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. નટુભાઈ રાજપરા સાહેબ એ આભાર વ્યકત કર્યો હતો. આ કાર્યક્રમના સહયોગી જયેશભાઈ જાની નું સન્માન ક૨વામાં આવ્યું હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.