સીસીટીવી કેમેરાના અભાવે ગુનેગારોને મોકળું મેદાન મળતું હોય છે... - At This Time

સીસીટીવી કેમેરાના અભાવે ગુનેગારોને મોકળું મેદાન મળતું હોય છે…


વિરપુરમાં સીસીટીવી કેમેરાનો અભાવ...

મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકામાં ચોરી સહિતના બનાવો વધી રહ્યાં છે અને ગુનેગારોને મોકળું મેદાન મળતા ગુનાઓ વધી રહ્યાં હોવાની ફરિયાદો સ્થાનિકોમાંથી ઉઠી રહી છે તેવામાં વિરપુરના અનેક વિસ્તાર તેમજ દુકાનો બહાર અને જાહેર સ્થળો પર સીસીટીવીનો અભાવ જોવા મળી રહ્યો છે વિરપુર અંદાજે એકાદ લાખથી વધુ વસતી ધરાવતું છે ઉપરાંત ૬૨ ગામડાઓનો સમૂહ ધરાવતું તાલુકા મથક પણ છે પરંતુ વિરપુરમા જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરાને અભાવે નગરજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે વિરપુરના મુકેશ્વર ચોકડી,બસ સ્ટેન્ડ, અંબીકા સોસાયટી,સીએમ દેસાઈ હાઈસ્કૂલ,વિરાજી સર્કલ,લીબડા ભાગોડ,દરજીની વાડી,સહિતના વિસ્તારોમાં લોકોની સહિત વાહન ચાલકોની ભારે અવર જવર હોય છે ઘણી વાર એવા વાહન ચાલકો નાના વાહનોને ટલ્લો મારીને નાસી છૂટતા હોય છે ઉપરાંત બજારમાં ખરીદી કરવા ગયેલ કોઇ મહિલા કે બુઝુર્ગ પાસેથી કોઇ ચીલઝડપ કરીને નાસી જાય તો આવા ગુનામાં પોલીસને ગુન્હો ઉકેલવામાં ભારે હાલાકી વેઠવી પડે છે ઉપરાંત દિવસે દિવસે વસ્તીના અનુપાતમાં ગુનાઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે.આથી ગુનાઓ ડિટેઇન કરવામાં પોલીસને ઘણી વાર ખાસ્સો સમય લાગી જતો હોય છે ત્યારે વિરપુર શહેરમાં આવનાર દિવસોમાં વહેલામાં વહેલી તકે સીસીટીવી કેમેરા મૂકવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે....

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.