ખેડબ્રહ્મા શહેર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા દ્વારા પ્રાંત કચેરી ખાતે પ્રાંત ઓફિસર શ્રી નિમેષ પટેલને આવેદનપત્ર આપ્યું - At This Time

ખેડબ્રહ્મા શહેર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા દ્વારા પ્રાંત કચેરી ખાતે પ્રાંત ઓફિસર શ્રી નિમેષ પટેલને આવેદનપત્ર આપ્યું


તા. 02/09/2024 ના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ ખેડબ્રહ્મા જિલ્લા દ્વારા મે. પ્રાંત ઓફિસર સાહેબ શ્રી ખેડબ્રહ્મા ને આવેદનપત્ર પાઠવ્યું

વિશ્વ હિન્દુ પરિષદ ખેડબ્રહ્મા જિલ્લાના પદાધિકારીઓ શ્રી દ્વારા ખેડબ્રહ્મા ખાતે લગભગ પાંચ મંદિર ને સરકારશ્રી હાઇકોર્ટના આદેશ મુજબ મંદિરતોડવા માટેની નોટિસ જે તે મંદિરને આપવામાં આવેલ હતી જેના અનુસંધાને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ હિન્દુ સમાજના શ્રેષ્ટીઓ મંદિરના પૂજારીશ્રીઓ અને પૂજ્ય સંતોની ઉપસ્થિતિમાં આવેદનપત્ર પ્રાંત સાહેબ શ્રી ને આપીને આ મંદિર એ હિંદુ સમાજનું આસ્થા નું પ્રતીક હોઈ ન તોડવા માટે આવેદનપત્ર આપી અરજ કરવામાં આવી જેમાં સાહેબ શ્રી તરફથી સૂચન કરવામાં આવ્યું કે આ મંદિરોની કાયદેસરની પ્રક્રિયામાં લાવવા માટે જે તે કાગળો આધાર પુરાવા એકત્રિત કરી પ્રાંત સાહેબ શ્રી ની કચેરીમાં અરજી કરશો જેથી મંદિર ન તૂટે આમ સાહેબ શ્રી નો ખૂબ જ સહકાર મળેલ છે સાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જોશી સાહેબે પણ એમના સ્ટાફ મારફતે સાથે રહીને શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમની સફર બનાવ્યો એ બદલ પોલીસ સ્ટાફનો પણ વિશ્વ હિન્દુ પરિષદ આભાર માને છે.
આ કાર્યક્રમમાં પૂજ્ય સંત શ્રી નવલકિશોર દાસજી મહારાજ ગુંદેલ ધામ તથા સંત શ્રી સોહમપુરી મહારાજ નીલકંઠ મહાદેવ મંદિર લક્ષ્મીપુરા ધામ થી ઉપસ્થિત રહેલા હતા.
વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા ઉપાધ્યક્ષ રામજી મહારાજ જિલ્લા સહમંત્રી પરેશભાઈ સોલંકી જિલ્લા બજરંગ દળ સંયોજક કૌશિક ભાઈ રાવલ સહ સંયોજક ધ્રુવીલભાઈ જોશી તુષારભાઈ સુથાર ચેતનભાઇ પંચાલ પ્રશાંતભાઈ ત્રિવેદી જિલ્લા કોષાધ્યક્ષ અતુલભાઇ ગાંધી જિલ્લા સેવા પ્રમુખ મણીભાઈ સુથાર જિલ્લા સહ સેવા પ્રમુખ જયંતીભાઈ પટેલ જિલ્લા પ્રચાર પ્રસાર પ્રમુખ કુણાલભાઈ પંચાલ ક્રિશ ભાઈ જોશી શૈલેષજી ઠાકોર તથા હિન્દુ સમાજ ના ધર્મયોદ્ધાઓ માતાઓ બહેનો તથા પાંચ મંદિરોના પૂજારીશ્રીઓ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રેસ મીડિયા ના મિત્રો ખૂબ સારી રીતે સહકાર આપ્યો હતો.

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891


9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.