શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનીંગ એકેડમી/IHRDC ટીમને અર્પણ કરવામાં આવ્યા એડવાન્સ ટેકનોલોજી સજ્જ બે બાઇક તથા સ્કૉલરશિપ.
પંચમહાલ
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનીંગ એકેડમી/IHRDC ટીમને શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી મહારાજના વરદ હસ્તે અને મહંત શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી તેમજ અન્ય સંતોની ઉપસ્થિતિમાં ડો. હિતેશ પટેલ તથા ટીમને ઇમર્જન્સી રેસ્ક્યુરી રિસ્પોન્ડ અર્થે એડવાન્સ ટેકનોલોજી સજ્જ બાઇક પંચમહાલ, મહીસાગર જિલ્લાના ટ્રાયબલ વિસ્તારમાં આપવામાં આવ્યું હતું. અને પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજે મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્કયુ એકેડેમી/IHRDC ટીમના જવાંમર્દોને આશીર્વાદ સહ સેવા કરવાની જોમ - હામ પૂરી પાડી હતી. તેમજ સંસ્થામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપ - ચેક દ્વારા આપવામાં આવી હતી. આ પાવનકારી અવસરે દેશો દેશના હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટ, વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે
![](https://atthistime.in/wp-content/uploads/2018/04/playstore.png)