વેરાવળ શહેરમાં રામદેવજી મહારાજની અષાઢી બીજ પર્વ ની ઉજવણી કરાઈ - At This Time

વેરાવળ શહેરમાં રામદેવજી મહારાજની અષાઢી બીજ પર્વ ની ઉજવણી કરાઈ


વેરાવળ શહેરમાં રામદેવજી મહારાજની અષાઢી બીજ પર્વ ની ઉજવણી કરાઈ.

આજરોજ વેરાવળ માં જાલેશ્વર સાનિધ્ય માં ને અષાઢી બીજ ના પાવન અવસર વર્ષોની પરંપરાગત શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુહાડા તેમજ અખિલ ગુજરાત માછીમાર મહામંડલના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુહાડા દ્વારા જાલેશ્વર શ્રી રામદેવજી મહારાજના મંદિરે 52 ગજની ધ્વજારોહણ, મહા આરતી, મહાપ્રસાદ કરાવવામાં આવ્યો હતો ત્યારબાદ શ્રી સકતરાઈ માતાજીના મંદિરે પણ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાત્રે બીજ નાપાર્થની માહા આરતી કરી અને શ્રી સોમનાથ ધુન મંડળ દ્વારા રામદેવજી મહારાજ ના ભજન સાથે મહા પ્રશાદ કરાવામાં આવ્યો હત આ પ્રસંગે શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજ પટેલ શ્રી જીતુભાઈ કુહાડા, શ્રી અખિલ ગુજરાત મચ્છીમાર મહામંડળ ના પ્રમુખશ્રી કિશોરભાઈ કુહાડા, ખારવા સમાજ ના ઉપ પટેલ બાબુભાઈ આગિયા, ખારવા સમાજ અધ્યક્ષ જીવાભાઈ ચોમલ, ખારવા સમાજ ના માજી પટેલ ત્રિકમભાઈ આગિયા, ખારવા સમાજ ના મંત્રી નારણ ભાઈ બાડીયા, વેરાવળ હોડી એસોસિયનના પ્રમુખ હીરાભાઈ વધાવી, બોટ એસોસિએશન ના ઉપ પ્રમુખ બાલાભાઇ કોટીયા, રામેશ્વર એક્સપોર્ટ ના માલિક રામજીભાઈ પીઠડ, ચંદ્રેશ શીલા એક્સપોર્ટ ના માલિક વિક્રમભાઈ સુયાણી, ગીર સોમનાથ જિલ્લા ભાજપ ના પૂર્વ ઉપ પ્રમુખ ધનસુખભાઈ કુહાડા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ માછીમાર સેલ સંયોજક પૃથ્વીભાઈ ફોફંડી,
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના ઉપાધ્યક્ષ રમેશભાઈ કુહાડા, પાટીદાર સમાજ ના પ્રમુખશ્રી રસિકભાઈ પટેલ, વાળંદ સમાજના પ્રમુખ મહેશભાઈ વાજા, દરબાર સમાજના રમજુભા ચાવડા ખારવા સમાજ ના તમામ બેઠકના પંચ પટેલ આગેવાનશ્રીઓ, તેમજ વેરાવળ પાટણ હિન્દુ સમાજના આગેવાનો, ભીડિયા વારા વિજયાબેન ચોરવાડી તથા હીરાબેન ની તમામ બહેનો ત્યારબાદ (એસ બી ગ્રુપ મગરા) ના તમામ મિત્રોએ ખૂબ સેવા આપી હતી તેમજ ખારવા સમાજ તેમજ વેરાવળ હિન્દુ સમાજ ના ભાઈઓ બહેનો હાજરો ની સંખ્યામાં હાજર રહીને સવારે અને સાંજ જમણ વાર સાથે માલપુરા નો પ્રસાદ નો લાભ લીધો હતો

રીપોર્ટ દીપક જોષી ગીર સોમનાથ પ્રાચી


prachi
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.