ઉદયનગરમાં યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું - At This Time

ઉદયનગરમાં યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું


શહેરનાં મવડી ચોકડી ઉદયનગરમાં ઘનશ્યામસિંહ ડોડિયાએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. મૃતક પાંચ બહેનમાં એક નો એક ભાઈ અને એકલવાયું જીવન જીવતાં હતાં. બનાવ અંગે મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ મવડી ચોકડી ઉદયનગર-1 માં રહેતાં ઘનશ્યામસિંહ સામંતસિંહ ડોડિયા (ઉ.વ.45) એ ગઈ કાલ સાંજનાં પોતાનાં ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેઓ પાંચ બહેનમાં એક નો એક ભાઈ હતો. મૃતક ઘનશ્યામસિંહની ઘરની બાજુમાં તેના બહેન રહેતાં હોય જે ગઈ કાલે તેના ભાઈના ઘરે ગયા ત્યારે તેઓ લટકતી હાલતમાં જોતાં તાકિદે 108 ને જાણ કરી હતી.

108 ની ટીમ સ્થળ પર પહોંચી જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ માલવિયા નગર પોલીસને થતાં તુરંત દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. હાલ મૃતક એકલવાયુ જીવન જીવતાં હતાં. આપઘાતનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.