જસદણમાં આવતીકાલે શ્રીનાથજી ની હવેલીમાં રથયાત્રાના ભવ્ય દર્શન યોજાશે - At This Time

જસદણમાં આવતીકાલે શ્રીનાથજી ની હવેલીમાં રથયાત્રાના ભવ્ય દર્શન યોજાશે


આવતીકાલે તારીખ 07-07-2024 ને રવિવારના રોજ અષાઢી બીજ નો તહેવાર નિમિતે રથયાત્રા ના ભવ્ય દર્શન જસદણની શ્રીનાથજીની હવેલીમાં યોજશે શ્રીનાથજીની હવેલીના પ્રમુખ કિરીટભાઈ પટેલની યાદીમાં જણાવ્યા મુજબ આવતીકાલે અષાઢી બીજના દિવસે બપોરે 12:00 થી 12:30 કલાક દરમિયાન રથયાત્રાના ભવ્ય દર્શન યોજાશે મુખિયાજી ઘનશ્યામભાઈ જોશી ઠાકોરજીને ચાંદીના કલાનાત્મક રથમાં બિરાજમાન કરશે અને બપોરે 12:30 કલાકે આરતીના દર્શન યોજાશે સવારે 8:00 થી 9 અને 10 થી 10:30 સુધીમાં દર્શન યોજાશે હવેલીના પ્રમુખ કિરીટભાઈ પટેલે જાહેર જનતાને આ ભવ્ય દર્શનનો લાભ લેવા અનુરોધ કર્યો છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.