રાજકોટના વેપારીના 1.58 લાખ પડાવી લેતા પોલીસે 2 શખ્સોની અંજારથી ધરપકડ કરી, અન્ય વેપારીઓ સાથે વિશ્વાસઘાત કર્યાની કબૂલાત - At This Time

રાજકોટના વેપારીના 1.58 લાખ પડાવી લેતા પોલીસે 2 શખ્સોની અંજારથી ધરપકડ કરી, અન્ય વેપારીઓ સાથે વિશ્વાસઘાત કર્યાની કબૂલાત


કચ્છના મુન્દ્રા અદાણી પોર્ટમાં ઓક્શન વિભાગના પી.એ.ની ઓળખાણ આપી ખાંડની ખરીદી કરવી હશે તો રજિસ્ટ્રેશન કરાવવું પડશે તેવું કહી રાજકોટના વેપારી પાસેથી રજિસ્ટ્રેશન ફીના નામે રૂ. 1.58 લાખ પડાવી લીધાની ફરિયાદ પ્રદ્યુમનનગર પોલીસને મળી હતી. જેથી પોલિસ પોલિસ કમિશનરની રાહબરીમાં ટીમ બનાવી રાજકોટ શહેર LCB ઝોન - 2 એ અંજારથી 2 શખ્સોને ઝડપી પાડયા હતા. ટેકનિકલ અને હ્યુમન સોર્સથી બન્ને શખ્સોને ઝડપી પાડ્યા બાદ તેઓએ અન્ય વેપારીઓ સાથે પણ આ રીતે છેતરપિંડી કરી હોવાની કબુલાત આપી હતી જેથી બંને આરોપીને પ્રદ્યુમનનગર પોલીસ મથકને સોંપવામાં આવ્યા છે અને તેથી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.