વિલાસ બેન ઠક્કર દ્વારા ચોરવાડ ખાતે દેહદાન અને અંગ દાન નો સંકલ્પ - At This Time

વિલાસ બેન ઠક્કર દ્વારા ચોરવાડ ખાતે દેહદાન અને અંગ દાન નો સંકલ્પ


આજે તા.૨/૭/૨૪ ના ચોરવાડ નિવાસી વિલાસ બેન જેન્તીલાલ ઠક્કર દ્વારા પોતાની જીવન લીલા પુર્ણ થયે માનવ કલ્યાણ અને પરોપકાર અર્થે જુનાગઢ સિવિલ હોસ્પિટલ જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ ને દેહદાન નું સંકલન પત્ર શિવમ્ ચક્ષુદાન -આરેણા ના માધ્યમ થી અર્પણ કર્યું છે.
જ્યારે અંગ દાન નું સંકલન પત્ર આપણા વિસ્તાર ના ગૌ સેવક અને વિલાસ બેન ના ભત્રિજા એવા નયન ભાઈ ઠક્કર ના હસ્તે શિવમ્ ચક્ષુદાન -આરેણા ને અર્પણ કર્યું છે.
વિલાસ બેન ઠક્કર એ જણાવ્યું છે કે આ દેહ ની હયાતિ મા શક્ય એટલું સદ્ કર્મ થયું છે, પરંતુ દેહ વિલિન થાય ને જીવ શિવ મા મળે એ સમયે પણ માનવ કલ્યાણ અર્થે સદ્ કર્મ થાય એવા આસય થી હું મારા દેહદાન અને અંગ દાન નો સંકલ્પ આપને મારા ભત્રિજા નયન ભાઈ ઠક્કર ની હાજરી માં આપને અર્પણ કરું છું.
વિલાસ બેન ના સંકલ્પ પત્ર શિવમ્ ચક્ષુદાન -આરેણા પરિવાર વતિ સચિન ભાઈ જોટવા દ્વારા સ્વિકારવા મા આવ્યું છે.
આપના આ સદ વિચારો ને શિવમ્ ચક્ષુદાન -આરેણા પરિવાર અને ગિરનાર ગૃપ હ્રદય થી બિરદાવે છે અને આપના સ્વસ્થ લાંબા આયુષ્ય ની પ્રાર્થના કરે છે.

રિપોર્ટર સુદીપ ગઢીયા -9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.