ચૂંટણીપંચને આજે મતગણતરી દરમિયાન હિંસાની આશંકા:7 રાજ્યોમાં ફોર્સ તહેનાતઃ કોંગ્રેસે કાર્યકર્તાઓને કહ્યું- જો કોઈ ગોટાળો દેખાય તો વીડિયો બનાવો - At This Time

ચૂંટણીપંચને આજે મતગણતરી દરમિયાન હિંસાની આશંકા:7 રાજ્યોમાં ફોર્સ તહેનાતઃ કોંગ્રેસે કાર્યકર્તાઓને કહ્યું- જો કોઈ ગોટાળો દેખાય તો વીડિયો બનાવો


લોકસભા ચૂંટણીની આજે મતગણતરી શરૂ થઈ ગઈ છે. ચૂંટણીપંચને મતગણતરી દરમિયાન કે પછી હિંસાનો ભય છે. જેના કારણે આયોગે 7 રાજ્યોમાં સેન્ટ્રલ ફોર્સ તહેનાત કરી છે. આ પ્રથમ વખત છે કે આચારસંહિતા હટાવ્યા બાદ ચૂંટણીપંચે 7 રાજ્યોમાં ફોર્સ તહેનાત કરવામાં આવી છે. આ તરફ, કોંગ્રેસે મતગણતરીના એક દિવસ પહેલાં બે પત્રો જાહેર કર્યા હતા. એક પત્ર કાર્યકરો માટે અને બીજો પત્ર બ્યુરોક્રેસી માટે જાહેર કરવામાં આવ્યો છે. કાર્યકરોને મતગણતરીમાં કોઈ વિસંગતતા જણાય તો તેનો વીડિયો બનાવવા જણાવ્યું હતું. કોંગ્રેસે તેના કાર્યકરો અને પોલિંગ એજન્ટો માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. નોકરિયાત વર્ગને બંધારણ અને તેમની ફરજોનું પાલન કરવા અપીલ કરી હતી. કોઈપણ ડર, પક્ષપાત કે દ્વેષ વિના રાષ્ટ્રની સેવા કરો. ખરેખરમાં 1 જૂનના રોજ જાહેર થયેલા એક્ઝિટ પોલમાં મોદી સરકાર ત્રીજી વખત બનશે તેવું લાગી રહ્યું છે. વિપક્ષે આ એક્ઝિટ પોલને ફગાવી દીધા છે. આ રાજ્યોમાં ફોર્સ તહેનાત કરવામાં આવી મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) રાજીવ કુમારે 3 જૂને કહ્યું હતું કે ચૂંટણી પછી કોઈ પણ સંજોગોમાં હિંસા થવી જોઈએ નહીં. આને ધ્યાનમાં રાખીને અમે આચારસંહિતા હટાવ્યા બાદ પણ સાવચેતીના પગલાં લીધા છે. હિંસાની આશંકાથી, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને મણિપુરમાં કેન્દ્રીય દળો તહેનાત કરવામાં આવ્યાં છે. CEC એ એમ પણ કહ્યું કે આજે મતગણતરી બાદ આંધ્રપ્રદેશ અને બંગાળમાં 15 દિવસ સુધી દળો તહેનાત કરવામાં આવશે. જ્યારે ઉત્તર પ્રદેશ, ઓડિશા, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં મતગણતરી બાદ બે દિવસ સુધી ફોર્સ તહેનાત રહેશે. પપ્પુએ કહ્યું- મહાભારત થશે, અખિલેશે કહ્યું- બીજેપીના લોકો ધમકી આપી શકે છે કોંગ્રેસે કાર્યકરોને કહ્યું કે સાવધાન રહો, ઘરની બહાર આવો
કોંગ્રેસે મતગણતરીના દિવસે સંભવિત ગેરરીતિઓને લઈને બે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. પાર્ટીએ કાર્યકર્તાઓને સૂચના આપી છે કે દરેકે સાવધાન રહેવું જોઈએ અને જો તેઓ કોઈ ગોટાળો જુએ તો તેનો વીડિયો બનાવીને હેલ્પલાઈન નંબર પર મોકલે. આ અંગે એક મોટી લીગલ ટીમ પણ બનાવવામાં આવી છે. કોંગ્રેસે કાર્યકરોને લખેલા પત્રમાં કહ્યું કે, આ જનતાની ચૂંટણી છે. આપણે છેલ્લાં કેટલાંક સપ્તાહોમાં જોયું તેમ, ભાજપ અને તેના નેતાઓએ વારંવાર આચારસંહિતાનો ભંગ કર્યો છે, બંધારણને બદલવાની અને ભારતીય લોકશાહીને ખતમ કરવાની ખુલ્લેઆમ વાત કરી છે. ભાજપના આ નૈતિક રીતે ભ્રષ્ટ વર્તનને કારણે જ મતગણતરી દરમિયાન આપણે સાવધ રહેવાની જરૂર છે. અમે કોંગ્રેસ પાર્ટીના દરેક કાર્યકર્તાને અપીલ કરીએ છીએ કે તેઓ લોકશાહીની રક્ષા માટે ઘરની બહાર આવે. ઘરેથી ટીવી સમાચાર અને પરિણામો જોવાને બદલે, અમે પાર્ટીના તમામ કાર્યકર્તાઓને વિનંતી કરીએ છીએ કે તેઓ અમારા મતોનું રક્ષણ કરવાના પ્રયાસોમાં પાર્ટીને મદદ કરવા માટે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયો અને રાજ્ય કોંગ્રેસ મુખ્યાલય સુધી પહોંચે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તમામ નોકરિયાતો અને અધિકારીઓને પત્ર લખ્યો છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે બંધારણનું પાલન કરો, તમારી ફરજ બજાવો અને ડર્યા વિના અને નિષ્પક્ષતાથી દેશની સેવા કરો. અમે ભાવિ પેઢીઓને જીવંત લોકશાહી સોંપવા માંગીએ છીએ. અમે બંધારણને પકડી રાખીએ છીએ જે આધુનિક ભારતના સ્થાપકો દ્વારા લખવામાં આવ્યું હતું. યુપી પોલીસની ચેતવણી
લખનૌમાં ઉત્તર પ્રદેશના અધિક મુખ્ય સચિવ દીપક કુમાર અને ડીજીપી પ્રશાંત કુમારે કહ્યું કે કેટલાક લોકો મોટી સંખ્યામાં મતગણતરી કેન્દ્રમાં આવવાની અપીલ કરી રહ્યા છે. અમારી પાસે આના પુરાવા છે. જો આમ થશે તો મતગણતરી કેન્દ્ર પર એકઠા થયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અમારી પાસે એવા લોકોનાં નામ પણ છે જેઓ ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે યોગ્ય સમયે જાહેર થશે. 2022ની વિધાનસભા ચૂંટણી વખતે પણ કેટલાક લોકોએ મુશ્કેલી ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો. બંગાળના રાજ્યપાલે કહ્યું- જે પણ પરિણામ આવે તેને સ્વીકારો
આ દરમિયાન, પશ્ચિમ બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝે એક વીડિયો સંદેશમાં લોકોને અપીલ કરી છે કે તેઓ લોકસભા ચૂંટણીના જે પણ પરિણામો આવે તે સ્વીકારે. ગોટાળા કરનારા લોકોથી પણ સાવચેત રહો. બોઝે​​​​​​ એમ પણ કહ્યું કે રાજભવનનો પીસ રૂમ ફરિયાદો નોંધાવવા માટે દિવસના 24 કલાક (24X7) ખુલ્લો રહે છે. સમગ્ર દેશ અને બંગાળની મતગણતરીના પરિણામોની જોઈ રહ્યું છે. ભારત અને બંગાળના લોકોએ જનાદેશનું સન્માન કરવું જોઈએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.