પતિએ થોડા સમય પછી અલગ રહેવા જવાનું કહેતા પરિણીતાએ ફાંસો ખાઈ મોતને વ્હાલુ કયુર્ં - At This Time

પતિએ થોડા સમય પછી અલગ રહેવા જવાનું કહેતા પરિણીતાએ ફાંસો ખાઈ મોતને વ્હાલુ કયુર્ં


મવડીના પંચશીલનગરમાં રહેતી 25 વર્ષીય પરિણીતાએ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃતક પરિણીતાને સંયુકત પરીવારમાંથી અલગ થવું હતું પરંતુ પતિએ થોડો સમય માંગતા અંતિમ પગલું ભરી લીધુ હતું. બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસ દોડી ગઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મવડીમાં કણકોટ રોડ પર પંચશીલનગરમાં રહેતી પુનમબેન સંજયભાઈ ગલતર (ઉ.25) ગઈકાલે સવારના સાડા નવ વાગ્યાની આસપાસ પોતાના ઘરે લાકડાની આડીમાં સાડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પરીવારને જાણ થતા તેણીને સારવારમાં ખાનગી હોસ્પીટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કરી હતી. બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકમાં પીએસઆઈ એલ.બી. ડીંડોર સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વધુમાં મળેલ વિગત મુજબ મૃતકના લગ્ન દોઢ વર્ષ પહેલા સંજય સાથે થયા હતા. લગ્ન જીવન દરમ્યાન એક છ માસનો પુત્ર છે. તેણીને સંયુકત પરીવારથી અલગ થવું હોય જેથી તેના પતિને વાત કરી હતી જે મામલે તેના પતિએ થોડા દિવસ બાદ પરીવારથી અલગ થશું તેવું જણાવતા લાગી આવ્યું હતું અને અંતિમ પગલું ભરી લીધુ હતું બનાવથી છ માસનો પુત્ર મા વિહોણો થતા પરીવારમાં કલ્પાંત છવાયો છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.