આજ રોજ હિંમતનગર તાલુકાના રાયગઢ ગામ ખાતે લોકસભા ચૂંટણી-2024 માં સાબરકાંઠા-અરવલ્લી બેઠક પરથી વિજયી થવા બદલ આયોજિત સન્માન સમારોહ માં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. - At This Time

આજ રોજ હિંમતનગર તાલુકાના રાયગઢ ગામ ખાતે લોકસભા ચૂંટણી-2024 માં સાબરકાંઠા-અરવલ્લી બેઠક પરથી વિજયી થવા બદલ આયોજિત સન્માન સમારોહ માં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.


આજ રોજ હિંમતનગર તાલુકાના રાયગઢ ગામ ખાતે લોકસભા ચૂંટણી-2024 માં સાબરકાંઠા-અરવલ્લી બેઠક પરથી વિજયી થવા બદલ આયોજિત સન્માન સમારોહ માં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

આ સમારોહ માં આપ સૌનો અપાર પ્રેમ અને લાગણી પ્રકટ કરવા બદલ અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કરું છું.

તમારા બધાના અથાગ પરિશ્રમ અને સહકાર થકી 2024 ની ચૂંટણીમાં સાબરકાંઠા-અરવલ્લી બેઠક પર ભાજપા ને ઐતિહાસિક વિજય મળ્યો છે ત્યારે સાબરકાંઠા-અરવલ્લી વિસ્તારને એક સેવક તરીકે ભવિષ્યમાં નવી ઊંચાઈએ લઈ જઈશ એવી ખાત્રી આપું છું.

આ કાર્યક્રમમાં, જીલ્લા સંગઠન પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ, હિંમતનગર ધારાસભ્યશ્રી વિ.ડી.ઝાલાજી, પ્રદેશ સહ પ્રવક્તા હિતેન્દ્રભાઈ પટેલ, જીલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા તેમજ મહેન્દ્રસિંહ રહેવર, તાલુકા સંગઠન પ્રમુખ હસમુખભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ભુમિકાબેન પટેલ, સહિત સંગઠનના હોદ્દેદારો અને તાલુકા/ જીલ્લા પંચાયત ના સદસ્યશ્રીઓ, વિવિધ મોરચાના હોદ્દેદારો, આજુબાજુ વિસ્તારના સરપંચશ્રીઓ, સહિત આગેવાનશ્રીઓ અને ખુબ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા
રિપોર્ટર મંજૂર ખણુસિયા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.