મહારાષ્ટ્રના નંદુરબારમાં ધાર્મિક શોભાયાત્રા પર પથ્થરમારો:તોફાનીઓએ ઘરો અને વાહનોને આગ ચાંપી, પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા; 7 ઘાયલ - At This Time

મહારાષ્ટ્રના નંદુરબારમાં ધાર્મિક શોભાયાત્રા પર પથ્થરમારો:તોફાનીઓએ ઘરો અને વાહનોને આગ ચાંપી, પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા; 7 ઘાયલ


મહારાષ્ટ્રના નંદુરબારમાં ધાર્મિક શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. નંદુરબાર પોલીસે જણાવ્યું કે ગુરુવારે બપોરે 3 વાગ્યે માલીવાડા વિસ્તારમાં ધાર્મિક શોભાયાત્રા નીકળી હતી. આ દરમિયાન કેટલાક યુવાનોએ શોભાયાત્રામાં રહેલા લોકો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પછી બંને જૂથો વચ્ચે પથ્થરમારો શરૂ થયો હતો. કેટલાક યુવાનોએ એક મકાનમાં આગ ચાંપી હતી. તેઓએ એલપીજી સિલિન્ડર સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. કેટલાક વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. રોષે ભરાયેલા ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. પોલીસે જણાવ્યું કે પથ્થરમારામાં બે અધિકારીઓ અને પાંચ કોન્સ્ટેબલ સહિત 7 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. ધુલેથી જવાનોને બોલાવવામાં આવ્યા હતા. મોડી રાત સુધી સ્થિતિ કાબુમાં આવી હતી. શકમંદોની અટકાયત કરવામાં આવી રહી છે. કેસ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. હિંસક અથડામણની 3 તસવીરો... 10 દિવસમાં ધાર્મિક શોભાયાત્રા દરમિયાન હિંસાની 5 ઘટનાઓ... 18 સપ્ટેમ્બરઃ કર્ણાટકના દાવણગેરેમાં પથ્થરમારો
18 સપ્ટેમ્બરના રોજ કર્ણાટકના દાવંગેરેમાં ગણેશ વિસર્જન શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો. લગભગ 3 મિનિટ સુધી પથ્થરમારો ચાલુ રહ્યો, ત્યારબાદ બંને સમુદાયના કેટલાક લોકોએ સલાહ આપીને પરિસ્થિતિ પર કાબુ મોળવ્યો હતો. દાવંગેરે પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે વેંકટભાવી ગણેશ વિસર્જન શોભાયાત્રા ચામરાજ પેટ સર્કલ પાસે પહોંચી ત્યારે સોશિયલ મીડિયા પર એક વાંધાજનક પોસ્ટને લઈને વિવાદ થયો હતો. જો કે ઘટનાસ્થળે હાજર પોલીસે તુરંત જ પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. પથ્થરમારો કોણે કર્યો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. 18 સપ્ટેમ્બર: ભીલવાડામાં ગણપતિ પંડાલમાં પ્રાણીઓના અંગો મળી આવતા પ્રદર્શન
રાજસ્થાનના ભીલવાડામાં ગણપતિ વિસર્જન બાદ પંડાલમાં પ્રાણીઓના અંગો જોવા મળ્યા હતા. આ પછી લોકોએ બજાર બંધ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. હનુમાન ચાલીસાના પાઠ પણ કર્યા. તણાવને કારણે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે. આ પછી શહેરની ખાનગી અને સરકારી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. 17 સપ્ટેમ્બર: ભિવંડીમાં ગણેશ વિસર્જન શોભાયાત્રા પર પથ્થરમારો , મૂર્તિ ખંડિત
મહારાષ્ટ્રના ભિવંડી વિસ્તારમાં મોડી રાત્રે ગણેશ વિસર્જન શોભાયાત્રા પર કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો. થાણેના એડિશનલ કમિશનર જ્ઞાનેશ્વર ચવ્હાણે કહ્યું- કેટલાક લોકોએ ધાર્મિક સ્થળ પાસે પથ્થરમારો કર્યો, જેના કારણે વિસર્જન માટે જઈ રહેલી મૂર્તિ ખંડિત થઈ હતી. પથ્થરમારાના સમાચાર મળતા જ લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. બંને જૂથો વચ્ચે અથડામણ થઈ હતી, જે બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. લાઠીચાર્જમાં અનેક લોકો ઘાયલ થયા છે. 11 સપ્ટેમ્બર: કર્ણાટકના મંડ્યામાં ગણપતિ વિસર્જન શોભાયાત્રા ​​​​​​પર પથ્થરમારો
કર્ણાટકના માંડ્યામાં ગણપતિ વિસર્જન શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. આ પછી એક જૂથે હિંસક પ્રદર્શન કર્યું. આ વિસ્તારની કેટલીક દુકાનો અને ત્યાં પાર્ક કરેલા વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. કન્નડ ન્યૂઝ ચેનલો અનુસાર, નજરેજોનારે જણાવ્યું હતું કે, પથ્થરો સિવાય શોભાયાત્રા ​​​​​​પર તલવારો, સળિયા અને જ્યુસની બોટલોથી પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં 15 પોલીસકર્મી પણ ઘાયલ થયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.