જામનગર થી માતા નાં મઢ ( કચ્છ) જવા પદયાત્રી સંઘ રવાના થયો - At This Time

જામનગર થી માતા નાં મઢ ( કચ્છ) જવા પદયાત્રી સંઘ રવાના થયો


જામનગર થી માતા નાં મઢ ( કચ્છ) જવા પદયાત્રી સંઘ રવાના થયો

શ્રી આશાપુરા પદયાત્રા રાજપૂત સંઘ છેલ્લા ૨૮ વર્ષ થી જામનગર થી માતાના મઢ આસો નવરાત્રીમાં પગપાળા જાય છે આ વખતે પણ ૭૦૦ થી ૮૦૦ ભાઈઓ બહેનો આ સંઘમાં સંઘપતિ પ્રવિણસિંહ નટુભા જાડેજા ની આગેવાનીમાં જોડાયા છે. દિગુભા જાડેજા, રણજીતસિંહ જાડેજા સહિતના સહકાર્યકરો આ સેવામાં લાગી ગયા છે.
આજે જામનગરના દરબારગઢ સ્થિત નાના આશાપુરા મંદિર થી રાજપૂત અગ્રણીઓ એ પદયાત્રીઓ ને વિદાય આપી હતી જેમાં પૂર્વમેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા, પ્રવિણસિંહ કે. જાડેજા (રાજપૂત શક્તિ), જગદીશસિંહ હકુભા જાડેજા, કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા, કાંતુભા જાડેજા, આર.ટી.ઓ. અધિકારી શ્રી ચુડાસમા , વિજયસિંહ ચૌહાણ સહિતના રાજપૂત આગેવાનોએ પદયાત્રીઓને વિદાય આપી હતી આ પદયાત્રીઓ આગામી તારીખ ૫ ઓક્ટોબર ને ત્રીજા નોરતે માતા ના મઢ (કચ્છ) માં આશાપુરા ના દરબારમાં પહોંચશે.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.