સોનાક્ષી-ઝહીર હનીમૂનનો માણી રહ્યા છે આનંદ:બંને સ્વિમિંગ પૂલમાં ચીલ કરતા જોવા મળ્યા, એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર બતાવી રોમેન્ટિક વેકેશનની ઝલક - At This Time

સોનાક્ષી-ઝહીર હનીમૂનનો માણી રહ્યા છે આનંદ:બંને સ્વિમિંગ પૂલમાં ચીલ કરતા જોવા મળ્યા, એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર બતાવી રોમેન્ટિક વેકેશનની ઝલક


એક્ટ્રેસ સોનાક્ષી સિંહાએ ઝહીર ઈકબાલ સાથેની રોમેન્ટિક તસવીરો શેર કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ તસવીરો બંનેના હનીમૂન દરમિયાન લેવામાં આવી હતી, જો કે બંને ક્યાં વેકેશન સેલિબ્રેટ કરી રહ્યા છે તેની માહિતી હજુ સુધી સામે આવી નથી. મંગળવારે સાંજે સોનાક્ષીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં ઝહીર સાથે સ્વિમિંગ પૂલમાં આરામ કરતી તસવીરો શેર કરી હતી. તસવીરોમાં ઝહીર-સોનાક્ષી બહુમાળી બિલ્ડિંગના સ્વિમિંગ પૂલમાં ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળે છે. તસવીરો શેર કરતી વખતે સોનાક્ષીએ લખ્યું, 'ખૂબસૂરત સનસેટ'. આ સાથે તેમણે હાર્ટ ઈમોજી પણ બનાવ્યું છે. ઝહીરે પણ આ તસવીરો રી-શેર કરીને સોનાક્ષી માટે રોમેન્ટિક કેપ્શન લખ્યું છે. સનસેટને સોનાક્ષીની સુંદરતાની સરખામણીમાં ફીકું ગણાવીને લખ્યું છે, 'મેં આના કરતાં પણ વધુ સુંદરતા જોઈ છે'. ભાઈએ લગ્નમાં ન આવવાનું કારણ જણાવ્યું
એક તરફ સોનાક્ષી હનીમૂન પર છે, તો બીજી તરફ તેના ભાઈ લવએ લગ્નમાં ન આવવા પર મૌન તોડ્યું છે. લવ સિંહાએ કહ્યું, 'લગ્નમાં મારું ન આવવાનું કારણ એકદમ સ્પષ્ટ છે, હું અમુક લોકો સાથે ક્યારેય જોડાઈ શકતો નથી, પછી ભલે ગમે તે થાય.' લવ સિંહાના આ ઈશારા પરથી સ્પષ્ટ થાય છે કે સોનાક્ષીના સસરા ઈકબાલ રત્નાસી સાથે તેને નથી બનતું. સોનાક્ષી-ઝહીરના લગ્ન 23 જૂનના રોજ થયા હતા
સોનાક્ષી અને ઝહીરે હિંદુ અને મુસ્લિમ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા વિના 23 જૂને રજિસ્ટર્ડ લગ્ન કર્યા હતા. આ પછી 23 જૂનની રાત્રે મુંબઈના બાસ્ટન રેસ્ટોરાંમાં લગ્નનું રિસેપ્શન આપ્યું હતું, જેમાં સલમાન ખાન, રેખા, કાજોલ સહિત ફિલ્મ ઉદ્યોગના ઘણા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. ઝહીર સાથેના લગ્નના સમાચાર સામે આવ્યા બાદ એવી અટકળો ચાલી રહી હતી કે, સોનાક્ષી પોતાનો ધર્મ બદલીને મુસ્લિમ બની જશે પરંતુ એવું થયું નહીં. ઝહીર ઈકબાલના પિતા ઈકબાલ રત્નાસીએ એક ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટ કર્યું હતું કે સોનાક્ષી પોતાનો ધર્મ બદલશે નહીં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.