રાણાવાવમાં સફાઈ અભિયાન યોજાયું - At This Time

રાણાવાવમાં સફાઈ અભિયાન યોજાયું


પોરબંદર જિલ્લામાં રાણાવાવ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ અભિયાન યોજાયું હતુ. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ગુજરાતમાં આ સ્વચ્છતા અભિયાન ૩૧મી ઓક્ટોબર એટલે કે સરદાર પટેલ જન્મ જયંતિ સુધી યોજાવાનું છે.રાજયના શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જન ભાગીદારીથી સ્વચ્છતા સફાઈનું જન આંદોલન શરૂ કરવાનું મુખ્યમંત્રીએ આહ્વાન કર્યું છે.અને આ સ્વચ્છતા સફાઈ અભિયાનને વધુ વેગવંતુ બનાવવાની નેમ રાખવામાં આવી છે.પોરબંદર જિલ્લામાં શહેર અને ગ્રામ્યપંથકમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.રાણાવાવ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત નિયમિત રીતે સફાઈ કાર્ય કરવામાં આવે છે. જેમાં સાફ સફાઈ કરીને ગંદકી અને કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવે છે અને નગરપાલિકાના તંત્ર દ્વારા નિયમિત રીતે શહેરમાં સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી રહી છે.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.