'એનિમલ' ફેમ સિદ્ધાંતને કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો:એક્ટરે કહ્યું, 'કોર્ડીનેટરે ધમકી આપતા કહ્યું હતું કે, કોમ્પ્રોમાઇઝ નહીં કરે તો કામ નહીં મળે' - At This Time

‘એનિમલ’ ફેમ સિદ્ધાંતને કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો:એક્ટરે કહ્યું, ‘કોર્ડીનેટરે ધમકી આપતા કહ્યું હતું કે, કોમ્પ્રોમાઇઝ નહીં કરે તો કામ નહીં મળે’


નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'એનિમલ'માં કામ કરી ચૂકેલા એક્ટર સિદ્ધાંત કર્ણિકે તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન કાસ્ટિંગ કાઉચ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. અભિનેતાએ તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં કાસ્ટિંગ કાઉચના અનુભવને વિચિત્ર ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે એક કોર્ડીનેટરે તેને ધમકી આપી હતી કે જો તે કોમ્પ્રોમાઇઝ નહીં કરે તો તેને કામ નહીં મળે. સિદ્ધાંત કર્ણિકે 'એનિમલ'માં રણબીર કપૂરના સાળા વરુણ પ્રતાપ મલ્હોત્રાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેના રોલ માટે ઘણી હેડલાઇન્સ મળી હતી. હિંદુસ્તાન ટાઈમ્સ સાથેના તાજેતરના ઈન્ટરવ્યુમાં, સિદ્ધાંતે તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં કાસ્ટિંગ કાઉચના તેના અનુભવ અને તે કેવું અનુભવ્યું તે વિશે વાત કરી. સિદ્ધાંત કર્ણિકે કહ્યું- મેં 2005માં માત્ર 22 વર્ષની ઉંમરે ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તે દરમિયાન હું એક કોર્ડીનેટરને મળ્યો. તેણે મને મારો પોર્ટફોલિયો પૂછ્યો અને પછી મને રાત્રે 10:30 વાગ્યે તેના ઘરે બોલાવ્યો. હું તેના ઘરે ગયો, તેના ઘરની આજુબાજુ તેના ફેમિલી ફોટોગ્રાફ હતા અને તે સલામત વાતાવરણ જેવું લાગતું હતું. પરંતુ મને લાગ્યું કે કંઈક ખોટું છે. હું ત્યાં બેઠો. ટૂંકી વાતચીત પછી કોર્ડીનેટરે મારી નજીક આવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મેં તેને કહ્યું કે હું આ પ્રકારનું કામ કરવા તૈયાર નથી. મારી વાત સાંભળીને તે ગુસ્સે થઈ ગયો અને કહ્યું કે જો તમે સમાધાન નહીં કરો તો તમને કામ નહીં મળે. તેણે મને ધમકાવીને કહ્યું કે તને ક્યાંય કામ ન મળે તેનું ધ્યાન રાખીશ. સિદ્ધાંતે કહ્યું, 'તે સમયે હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કોઈને ઓળખતો નહોતો. ન તો મારો કોઈ ગોડફાધર હતો કે ન તો કોઈ માર્ગદર્શક. પણ એ વખતે હું મક્કમ રહ્યો. કોઈનાથી ડર્યા વિના તેણે પોતાની મહેનતથી પોતાના સપના પૂરા કર્યા. 'એનિમલ' સિવાય સિદ્ધાંત કર્ણિકે 'આદિપુરુષ', 'થપ્પડ' અને 'લફંગે પરિંદે' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.