શુભાંશુની ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે મુખ્ય અવકાશયાત્રી તરીકે પસંદગી:ઈસરોએ કહ્યું- પ્રશાંત નાયર બેકઅપ હશે; આ મહિનાના પ્રથમ સપ્તાહથી તાલીમ શરૂ થશે - At This Time

શુભાંશુની ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે મુખ્ય અવકાશયાત્રી તરીકે પસંદગી:ઈસરોએ કહ્યું- પ્રશાંત નાયર બેકઅપ હશે; આ મહિનાના પ્રથમ સપ્તાહથી તાલીમ શરૂ થશે


ભારત-યુએસ સ્પેસ મિશન માટે ભારતે તેના મુખ્ય અવકાશયાત્રીની પસંદગી કરી છે. ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા આ મિશનના મુખ્ય અવકાશયાત્રી હશે. ઈસરોએ શુક્રવારે 2 ઓગસ્ટે કહ્યું કે કેપ્ટન પ્રશાંત નાયરની પણ આ મિશન માટે પસંદગી કરવામાં આવી છે. તે બેકઅપ તરીકે તેનો ભાગ બનશે. શુભાંશુ ક્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) જશે તેની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. જો કે આ મહિનાના પહેલા અઠવાડિયાથી બંનેની ટ્રેનિંગ શરૂ થશે. ISROએ જણાવ્યું હતું કે હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટર (HSFC) એ ISS પર તેના આગામી Axiom-4 મિશન માટે યુએસ સ્થિત Axiom Space સાથે સ્પેસ ફ્લાઇટ એગ્રીમેન્ટ (SFA)માં પ્રવેશ કર્યો છે. 4 ગગનયાત્રીમાંથી શુભાંશુની પસંદગી
ઈસરોએ કહ્યું, '4 ગગનયાત્રીમાંથી નેશનલ મિશન એસાઈનમેન્ટ બોર્ડે શુભાંશુ અને પ્રશાંતની પસંદગી કરી છે. ભારત-યુએસ સ્પેસ મિશન કરાર ભારતને તેના આગામી ગગનયાન મિશનને પૂર્ણ કરવામાં મદદ કરશે. આગળ શું - શુભાંશુ અને પ્રશાંત અમેરિકા જશે
ગ્રુપ કેપ્ટન શુભાંશુ અને ગ્રુપ કેપ્ટન પ્રશાંત બંનેને ઓગસ્ટના પ્રથમ સપ્તાહથી અમેરિકામાં મિશન માટે તાલીમ આપવામાં આવશે. અવકાશ મિશન દરમિયાન પસંદ કરાયેલા ગગનયાત્રી વૈજ્ઞાનિક સંશોધન અને ટેક્નોલોજીનું પરીક્ષણ કરશે. આ ઉપરાંત તેઓ અવકાશમાં આઉટરીચ પ્રવૃત્તિઓમાં પણ સામેલ થશે. શુભાંશુએ સુખોઈ અને મિગ જેવા ફાઈટર પ્લેન ઉડાવ્યા છે
શુભાંશુ 38 વર્ષના છે. તે ફાઈટર પાઈલટ અને કોમ્બેટ લીડર છે. તેની પાસે 2000 કલાકથી વધુ ઉડાનનો અનુભવ છે. અત્યાર સુધી તેણે સુખોઈ-30એમકેઆઈ, મિગ-21, મિગ-29, જગુઆર, હોક, ડોર્નિયર અને એએન-32 જેવા વિમાનો ઉડાવ્યા છે. શુભાંશુનો જન્મ 10 ઓક્ટોબર 1985ના રોજ ઉત્તર પ્રદેશના લખનૌમાં થયો હતો. શુભાંશુ નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)ના ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ છે. તેઓ 17 જૂન 2006ના રોજ ભારતીય વાયુસેનાના ફાઇટર સ્ટ્રીમમાં સામેલ થયા હતા. આકાશ પ્રવાસીઓમાં કેપ્ટન પ્રશાંત નાયરની સૌથી વધુ વય ચાર ગગનયાત્રીઓમાં કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર સૌથી વયસ્ક (47 વર્ષ) છે. પ્રશાંત એનડીએના પૂર્વ વિદ્યાર્થી પણ રહી ચૂક્યા છે. તેમને એરફોર્સ એકેડમીમાં સ્વોર્ડ ઓફ ઓનર પણ મળ્યું હતું. પ્રશાંતનો જન્મ 26 ઓગસ્ટ 1976ના રોજ કેરળના તિરુવાઝિયાદમાં થયો હતો. તેઓ 19 ડિસેમ્બર 1998ના રોજ ભારતીય વાયુસેનાના ફાઇટર સ્ટ્રીમમાં સામેલ થયા હતા. ગ્રુપ કેપ્ટન નાયર ક્લાસ-એ ફ્લાઇટ ટ્રેનર છે. તેની પાસે 3000 કલાકથી વધુ ઉડાનનો અનુભવ છે. તેણે સુખોઈ-30એમકેઆઈ, મિગ-21, મિગ-29, હોક, ડોર્નિયર અને એન-32 એરક્રાફ્ટ પણ ઉડાવ્યા છે. પ્રશાંતે સુખોઈ-30MKI સ્ક્વોડ્રનની કમાન સંભાળી છે. તેઓ અમેરિકાની સ્ટાફ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તે ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ, વેલિંગ્ટન અને ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર્સ સ્કૂલ, તાંબરમમાં ડાયરેક્ટીંગ સ્ટાફ પણ છે. 5 મહિના પહેલા પીએમ મોદીએ આ 4 ગગનયાત્રીઓના નામની જાહેરાત કરી હતી 27 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદીએ ગગનયાન મિશન માટે ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર, ગ્રુપ કેપ્ટન અજીત કૃષ્ણન, ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લાના નામની જાહેરાત કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.