વડતાલ ગાદીના આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ નાં 75 જન્મોત્સવ નિમિતે SVG ટ્રસ્ટ દ્વારા બોટાદ ખાતે પાણીનાં કુંડા નું વિનામૂલ્યે વિતરણ કરાશે - At This Time

વડતાલ ગાદીના આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ નાં 75 જન્મોત્સવ નિમિતે SVG ટ્રસ્ટ દ્વારા બોટાદ ખાતે પાણીનાં કુંડા નું વિનામૂલ્યે વિતરણ કરાશે


(પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ દ્વારા )
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ગાદીના આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજનાં 75 માં પ્રાગટ્ય અમૃત જન્મોત્સવ વર્ષ તથા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી વર્ષ નિમિત્તે ભક્તિ પર્વ અંતર્ગત ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજના આશીર્વાદથી ભગવાન સ્વામિનારાયણ ની સર્વજીવ હિતાવહ ની આજ્ઞા અનુસાર તા.17/3/24 ના રોજ આંતરરાષ્ટ્રીય સ્તરે મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો. હવે આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પાણીની આવશ્યકતા હોય જેથી SVG ટ્રસ્ટ દ્વારા તારીખ.19-5-2024 ને રવિવાર ના રોજ સવારે 8 કલાક થી ગુજરાત રાજ્યના 50 થી વધુ તાલુકામાં લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા પક્ષીઓને પાણી પીવા માટે કુંડાઓનું તદ્દન ફ્રીમાં વિતરણ કરવામાં આવશે જે અંતર્ગત બોટાદ ખાતે શ્રી હનુમાનજી ગેટ દિનદયાળ પુતળા ચોક બોટાદ વિતરણ કરવામાં આવશે. તો પોતાનાં ઘરે કુંડા રાખવાં ઈચ્છતા પક્ષી પ્રેમી ભક્તોને ગઢપુર મંદિરનાં શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી તથા એસ.પી. સ્વામી દ્વારા પક્ષીઓ માટે પાણી કુંડા લેવાં આવીને પોતાના ઘરે પાણી ભરી પક્ષીઓની સેવા કરવા ભલામણ કરવામાં આવી છે એવું ગગજીભાઈ, ઘનશ્યામભાઈ, જોરૂભાઈ એસ.ધાધલ દ્વારા જણાવવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.