ભાવિ જમાઈ ઝહીર સાથે શત્રુઘ્નએ આપ્યા પોઝ:નારાજગીના સમાચાર પર મૂક્યું પૂર્ણવિરામ, સોનાક્ષી પણ તે જ લોકેશન પર સ્પોટ થઈ - At This Time

ભાવિ જમાઈ ઝહીર સાથે શત્રુઘ્નએ આપ્યા પોઝ:નારાજગીના સમાચાર પર મૂક્યું પૂર્ણવિરામ, સોનાક્ષી પણ તે જ લોકેશન પર સ્પોટ થઈ


સોનાક્ષી સિંહા 23 જૂને ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરશે. ઘણા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે પિતા શત્રુઘ્ન સિંહા પુત્રી સોનાક્ષીના લગ્નથી ખુશ નથી. તેઓ લગ્નમાં પણ હાજરી આપશે નહીં. હવે શત્રુઘ્ને આ બધી અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે. કાલે એટલે કે ગુરુવારે શત્રુઘ્ન ભાવિ જમાઈ ઝહીર ઈકબાલ સાથે જોવા મળ્યા હતા. બંનેએ સાથે પાપારાઝી માટે પોઝ પણ આપ્યા હતા. આ દરમિયાન સોનાક્ષીની માતા પૂનમ સિન્હા પણ જોવા મળી હતી. સોનાક્ષી પણ તે જ લોકેશન પર જોવા મળી હતી જ્યાં ઝહીર અને શત્રુઘ્ન સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન તે કેઝ્યુઅલ આઉટફિટમાં જોવા મળી હતી. પાપારાઝીએ તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે કોઈ પ્રશ્નનો જવાબ આપ્યો નહીં. ઝહીરનો આખો પરિવાર પણ તે જ લોકેશન પર જોવા મળ્યો હતો પહેલાં કહ્યું હતું, મને લગ્ન વિશે કોઈ જાણકારી નથી.
જ્યારે સમાચાર આવ્યા કે સોનાક્ષી લગ્ન કરવા જઈ રહી છે, ત્યારે પિતા શત્રુઘ્નને આ લગ્ન વિશે પૂછપરછ કરવામાં આવી હતી.આ સવાલના જવાબ આપતા કહ્યું હતું કે- 'મને આ લગ્ન વિશે કોઈ માહિતી નથી. આજકાલ બાળકો તેમના માતા-પિતા પાસેથી સંમતિ લેતા નથી, તેઓ માત્ર તેમને જાણ કરે છે. અમે પણ રાહ જોઈ રહ્યા છીએ કે અમને આ લગ્ન વિશે ક્યારે જાણ કરવામાં આવશે.' એવું અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે સોનાક્ષીના તેના પિતા સાથેના સંબંધો સારા નથી ચાલી રહ્યા. મારી પુત્રીને તેનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છેઃ શત્રુઘ્ન
ઝૂમને આપેલા એક ઈન્ટરવ્યૂમાં શત્રુઘ્ને કન્ફર્મ કર્યું કે તે તેની દીકરીના લગ્નમાં ચોક્કસ હાજરી આપશે. પીઢ અભિનેતાએ એમ પણ કહ્યું કે તેની પુત્રીને તેનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે અને ઝહીર સાથે તેની જોડી સારી લાગે છે. ઈન્ટરવ્યૂમાં શત્રુઘ્ને કહ્યું, 'મને કહો, આ કોનું જીવન છે? આ મારી એકમાત્ર પુત્રી સોનાક્ષીનું જીવન છે, જેના પર મને ખૂબ ગર્વ છે અને હું જેને ખૂબ પ્રેમ કરું છું. તે મને શક્તિનો સ્તંભ કહે છે. આ લગ્નમાં હું ચોક્કસ હાજર રહીશ.અને મારે શા માટે ન રહેવું જોઈએ? મારી ખુશી તેની ખુશીમાં છે. સોનાક્ષીને પોતાનો જીવનસાથી અને લગ્ન સાથે જોડાયેલી દરેક વસ્તુ પોતે પસંદ કરવાનો અધિકાર છે.' લગ્ન 23 જૂને મુંબઈમાં થશે
સોનાક્ષી અને ઝહીર 23 જૂને મુંબઈમાં લગ્ન કરશે. આ કપલ સવારે રજિસ્ટર્ડ મેરેજ કરશે. સાંજે, બંને તેમના મિત્રો અને પરિવાર માટે ભવ્ય રિસેપ્શનનું આયોજન કરશે. આ સેલિબ્રેશન મુંબઈના બાસ્ટન રેસ્ટોરાંમાં થશે, જેની માલિકી બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.