સંજીદા શેખે કહ્યું, 'છૂટાછેડા લઈને ખુશનસીબ અનુભવ કરી રહી છું':પૂર્વ પતિ આમિર અલીએ વળતો પ્રહાર કરતા કહ્યું, 'જાહેરમાં કાદવ ઉછાળવો એ મારું કામ નથી' - At This Time

સંજીદા શેખે કહ્યું, ‘છૂટાછેડા લઈને ખુશનસીબ અનુભવ કરી રહી છું’:પૂર્વ પતિ આમિર અલીએ વળતો પ્રહાર કરતા કહ્યું, ‘જાહેરમાં કાદવ ઉછાળવો એ મારું કામ નથી’


સંજય લીલા ભણસાલીની સિરિયલ 'હીરામંડી'માં વહીદા જાનનો રોલ નિભાવનાર સંજીદા શેખ વિવાદોમાં ઘેરાયેલી જોવા મળે છે. હાલમાં જ એક્ટ્રેસે પૂર્વ પતિ આમિર અલીથી છૂટાછેડા પર નિવેદન આપ્યું હતું. એક્ટ્રેસે કહ્યું હતું કે તે છૂટાછેડા લઈને પોતાને ભાગ્યશાળી માને છે. જો કે તેમના આ નિવેદનથી વિવાદ શરૂ થયો છે. તેના પૂર્વ પતિ આમિર અલીએ કહ્યું છે કે તે જાહેરમાં તેના પર કાદવ ઉછાળવા માગતો નથી. સંજીદાએ કહ્યું હતું- ડિમોટિવેટ કરનાર લોકોથી દૂર રહેવું વધુ સારું
હાલમાં Hauterly સાથેના એક ઇન્ટરવ્યૂ દરમિયાન સંજીદા શેખે કહ્યું હતું કે, કેટલાક પુરુષો અને કેટલાક પાર્ટનર છે જે તમને નિરાશ કરવાનો પ્રયાસ કરે છે, તેઓ તમને કહે છે કે તું કંઈ નહીં કરી શકે, અથવા તેઓ તમને કહે છે કે તમે તે કરી જ નહીં શકો. આવી સ્થિતિમાં આપણે આવા લોકોથી દૂર રહીએ તો સારું રહેશે.' એક્ટ્રેસે વધુમાં કહ્યું કે, 'સંબંધમાં એક સમય એવો આવે છે જ્યારે તમે ખુશ હો અને પછી એવો સમય આવે છે જ્યારે તમે ખુશ નથી હોતા. આવી સ્થિતિમાં તમે જીવનનો નિર્ણય લો અને મેં પણ તે જ કર્યું કારણ કે હું મારી જાતને પ્રેમ કરવા લાગી હતી. હું મારી જાતને પ્રાથમિકતા પર રાખું છું અને આ ખરેખર મહત્ત્વનું છે. મારી સાથે જે પણ થયું, હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. કદાચ હું માનવા લાગી કે હું સૌથી ઉદાસ છોકરી છું અથવા હું ખૂબ જ દુઃખી છું. મને આશ્ચર્ય થતું હતું કે મારી સાથે શું થઈ રહ્યું છે, મારા જીવનમાં શું થઈ રહ્યું છે. પણ હું મારા એ સ્વરૂપ માટે પણ ખુશ છું. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું.' સંજીદાનું નિવેદન સામે આવ્યા બાદ આમિર અલીએ પણ તેમના પર રિએક્શન આપ્યું છે. એક મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, 'હું અથવા તે (સંજીદા) જે પણ કહે છે તે હંમેશા એકબીજા વિશે નથી હોતું. અમે લગભગ 5 વર્ષથી સાથે નથી. શક્ય છે કે તે સમયે તેઓ કંઈકમાંથી પસાર થઈ હોય. અમારી વાત ઘણી જૂની છે જે હવે પૂરી થઈ ગઈ છે. માત્ર હું જ જાણું છું કે છૂટા પડતી વખતે હું શામાંથી પસાર થયો હતો અને મારી સાથે શું થયું હતું.' આમિર અલીએ વધુમાં કહ્યું કે, 'જાહેરમાં કાદવ ઉછાવળવો એ મારું કામ નથી. મેં ક્યારેય કોઈને નિરાશ કર્યા નથી અને ક્યારેય કરીશ પણ નહીં. ખાસ કરીને એવા લોકો સાથે કે જેમની સાથે મારો ક્યારેય સંબંધ રહ્યો છે.' આમિર-સંજીદાએ 2021માં છૂટાછેડા લીધા હતા
નોંધનીય છે કે, આમિર અલી અને સંજીદા શેખની પહેલી મુલાકાત ટીવી શો 'ક્યા દિલ મેં હૈ'ના સેટ પર થઈ હતી. સાથે કામ કરતી વખતે બંને રિલેશનશિપમાં આવ્યા અને બંનેએ 2012માં લગ્ન કરી લીધા. વર્ષ 2018માં સંજીદા શેખે પુત્રીને જન્મ આપ્યો હતો. જોકે, બંને 2020માં અલગ થઈ ગયા હતા. દંપતીએ 2021 માં છૂટાછેડા લીધા હતા.'


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.