પોરબંદર જિલ્લામાં અમૃતપેય આયુર્વેદિક ઉકાળાનું થયુ વિતરણ - At This Time

પોરબંદર જિલ્લામાં અમૃતપેય આયુર્વેદિક ઉકાળાનું થયુ વિતરણ


પોરબંદર જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા અમૃતપેય ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લામાં તાજેતરમાં અતિ ભારે વરસાદ વરસ્યો હોવાને કારણે પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે જિલ્લા પંચાયતનું તંત્ર સરાહનીય કામગીરી કરી રહ્યું છે. જિલ્લા પંચાયત હસ્તક આયુર્વેદ શાખાના વિવિધ આયુષ દવાખાનાઓમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. વર્ષાઋતુમાં ઋતુજન્ય રોગચાળાના પ્રતિરોધ માટે લાભ આપવામાં આવી રહ્યો છે. આયુષ દવાખાનામાં ગ્રામજનો માટે રોગપ્રતિકાર અમૃતપેય આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાતા મોટી સંખ્યામાં ગ્રામજનો લાભ લઈ રહ્યા છે.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.