સામાજિક સંસ્થાની પ્રવૃત્તિ અંગે ભાવિ સમાજ કાર્યકરોએ મેળવી માહીતી - At This Time

સામાજિક સંસ્થાની પ્રવૃત્તિ અંગે ભાવિ સમાજ કાર્યકરોએ મેળવી માહીતી


પોરબંદરના સદ્દભાવના સેવા મંડળ દ્વારા ડો.વી.આર.ગોઢાણીયા કોલેજના એમ.એસ.ડબલ્યુના વિદ્યાર્થીઓને સદભાવના સેવા મંડળ દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓનું માર્ગદર્શન આપવામાં આવેલ હતું જેમાં ગ્રુપના હરદત્તપુરી ગોસ્વામીએ સદ્દભાવના સેવા મંડળની સેવાકીય પ્રવૃતિઓ વિશે વિસ્તૃત માહિતી તેમજ વિદ્યાર્થીઓને ઉપયોગી બની રહે તેવી રીતે સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું હતું અને ગ્રુપના બધા સભ્યો હાજર રહ્યા હતા અને વિશેષ એમ.એસ.ડબલ્યુના પ્રો.આરતીબેન ભોગાયતા અને વિદ્યાર્થીઓએ સદ્દભાવના સેવા મંડળ દ્વારા કરવામાં આવતી સેવાઓને બિરદાવી હતી.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.