ભોમિયાવદરનો વરસાદથી નુકશાન પામેલો પુલ કલાકોમાં શરૂ કરાયો - At This Time

ભોમિયાવદરનો વરસાદથી નુકશાન પામેલો પુલ કલાકોમાં શરૂ કરાયો


પોરબંદર જિલ્લામાં ભોમિયાવદર ગામે વર્તુ નદી નો પુલ કલાકોમાં શરૂ કરતાં પાંચ ગામોના લોકોને મોટી રાહત થઈ હતી. રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદમાં રસ્તાઓને રીપેર કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવા ગાઈડલાઈન આપવામાં આવી છે.જેની અમલવારી પોરબંદર જિલ્લા તંત્રએ કરીને આજે ભોમિયાવદર પુલ કલાકોમાં શરૂ કર્યો હતો. પૂરના પાણીને લીધે આ પુલ વધારે ક્ષતિગત થયો હતો.અને વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો.જે ચાલુ કરવામાં આવ્યો છે.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.