કાનિયાડ ખાતે લાયક દંપતી ગુરુ શિબિર રાખવામાં આવેલ - At This Time

કાનિયાડ ખાતે લાયક દંપતી ગુરુ શિબિર રાખવામાં આવેલ


(કનુભાઈ ખાચર દ્વારા )
આજ રોજ તારીખ 08/07/2024 ના રોજ PHC કાનિયાડ ના સબ સેન્ટર કાનિયાડ ખાતે લાયક દંપતી ગુરુ શિબિર રાખવામાં આવેલ જેમાં આયુષ મેડિકલ ઓફિસર ડૉ.સેજલબેન, મ.પ.હે.વ સુપરવાઈઝર અલ્પેશભાઈ પંચાલ, સી.એચ.ઓ રીપલબેન મ.પ.હે.વ અલ્પેશભાઈ જમોડ, ફી.હે.વ નેન્સીબેન અને તમામ આશા બહેનો હાજર રહેલ અને લાયક દંપતીઓને કુટુંબ નિયોજનની વિવિધ પદ્ધતિઓ વિષે તથા ડેન્ગ્યુ માસ અંતર્ગત વાહક જન્ય રોગ વિષે માહિતી આપવામાં આવેલ જેમાં બહોળી સંખ્યા માં ગ્રામ જનો હાજર રહેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.