ગોધરા- આઈટીઆઈ ખાતે નવા પ્રવેશ મેળવનારા તાલીમાર્થીનું સ્વાગત કરાયુ - At This Time

ગોધરા- આઈટીઆઈ ખાતે નવા પ્રવેશ મેળવનારા તાલીમાર્થીનું સ્વાગત કરાયુ


ગોધરા ખાતે દાહોદ રોડ પર આવેલી આઈટીઆઈ ખાતે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. જેના ભાગ રુપે નવા એડમીશન લીધેલા વિદ્યાર્થીઓનુ આઈટીઆઈ સંકુલના સ્ટાફ દ્વારા સ્વાગત કરવામા આવ્યુ હતુ. સૌને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામા આવ્યુ હતુ.આઈટીઆઈ ખાતે વિવિધ ટ્રેડમા અભ્યાસ કરાવામા આવે છે.અને તેના અધ્યતન બિલ્ડીગમા વિવિધ શૈક્ષણિક સુવિધાઓ પુરી પાડવામા આવે છે.
ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગોધરા ખાતે જે તાલીમાર્થીએ ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરેલ હતા. તેઓ પસંદગી માટે પ્રથમ રાઉન્ડમાં એડમિશન કન્ફોર્મ કરાવવા માટે આવ્યા હતા.જેમનું આઈ.ટી.આઈમાં ટ્રેડ ફીટર, વેલ્ડર, મશીનિષ્ટ, ઇલેક્ટ્રિશિયન અન્ય ટ્રેડમાં ડોક્યુમેન્ટ્સની ખરાઈ કર્યા બાદ ફીશ ભરાવી એડમિશન કન્ફર્મ કરી પસંદગી પામેલનું ફરજ બજાવતા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ફોરમેન તેમજ પ્લેસમેન્ટ ઓફિસર દ્વારા કોલલેટર આપી તાલીમાર્થીનું સ્વાગત કંકુ લગાડી અને પુષ્પગુચ્છ આપીને શુભેચ્છા પાઠવી હતી

રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.