જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા સેવા કાર્ય કરવામાં આવ્યું............... - At This Time

જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા સેવા કાર્ય કરવામાં આવ્યું……………


જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા સેવા કાર્ય કરવામાં આવ્યું...............
તારીખ 2 ઓક્ટોબર ના રોજ જાયન્ટ્સ હિંમતનગર સહીયર દ્વારા ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી.જેમાં ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર અને સુતર ની આરતી પહેરાવવામાં આવી.આ દિવસે ગ્રુપના સભ્ય બીનાબેન પ્રદીપભાઈ પટેલ દ્વારા કાંકરોલમાં આંગણવાડીના બાળકોને તિથિ ભોજન તથા ફાલ્ગુનીબેન વ્યાસ દ્વારા બિસ્કીટ આપવામાં આવ્યા. ગ્રુપની બધી જ બહેનોએ બીઆરસી ભવનમાં ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતાનું કાર્ય કર્યું. આ ઉપરાંત આંચલ વૃદ્ધાશ્રમમાં સર્વ પિતૃ અમાસ નિમિત્તે રીંકુબેન પટેલ દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પ્રમુખશ્રી સોનલબેન મહેતા, ઉપપ્રમુખશ્રી કામીનીબેન સુતરીયા, રાજેશ્વરીબા રહેવર, ખજાનચી રિદ્ધિબેન આચાર્ય, બીનાબેન, ઈલાબેન, ફાલ્ગુનીબેન, પ્રિયંકાબા, હીનાબેન, રેખાબેન તથા અન્ય બહેનો હાજર રહી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.