સિવિલ હોસ્પિટલના અધિક્ષક ત્રિવેદી પાસેથી ચાર્જ છીનવાયો, હવે વિવાદોનો અંત આવશે? - At This Time

સિવિલ હોસ્પિટલના અધિક્ષક ત્રિવેદી પાસેથી ચાર્જ છીનવાયો, હવે વિવાદોનો અંત આવશે?


રાજકોટ સિવિલ હોસ્પિટલના અવારનવાર સામે આવતા વિવાદો બાદ અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદી પાસેથી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ તરીકેનો ચાર્જ છીનવી લેવાયો છે. તેમની જગ્યાએ પી.ડી.યુ. મેડીકલ કોલેજ, રાજકોટના અધિક ડીનના ડો.મોનાલી માકડીયાને નવા સુપ્રિટેન્ડેન્ટ બનાવાયા છે. સિવિલ હોસ્પિટલમાં સતત વિવાદ, આંતરિક ખટપટ, ઉપરાંત ડો.ત્રિવેદીની રીતિ નીતિ સામે અનેક વખત સવાલો ઉઠ્યા હતા. જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે ડો. મોનાલીની આ નિમણૂક બાદ સિવિલ હોસ્પિટલના વિવાદો ઘટશે કે નહીં? તેની ચર્ચા લોકોમાં ચાલી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.