આજે શિહોર સુવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા ધામધૂમથી વેલનાથ બાપુ ની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી - At This Time

આજે શિહોર સુવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા ધામધૂમથી વેલનાથ બાપુ ની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી


વેલનાથ બાપુ ની શોભાયાત્રા નિમિત્તે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા સિહોર માં આજે પરંમ પરાગત રીતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
આ શોભાયાત્રા રાજીવનગર વિસ્તાર થી ઉપડી ખાડિયા ચોક, રેલવે સ્ટેશન રોડ પરથી સિહોર ના રાજમાર્ગો માં થઈ મેઈન બજાર, મોટાચોક,ખારાકુવા ચોક,જુના સિહોર થઈ જુના સિહોર માં આવેલ બહ્મકુંડ પાસે વેલનાથ બાપૂ ના મંદિરે શોભાયાત્રાની પૂર્ણાહૂતિ થઈ હતી.
સવારે 8 વાગ્યે શોભાયાત્રા નીકળી હતી અને બપોરે 1:30 વાગ્યે પૂર્ણ થઈ હતી. છેલ્લા ઘણા વર્ષો થી આ પ્રકારે વેલનાથ જયંતીએ શોભાયાત્રા કાઢવામાં આવે છે.
શોભાયાત્રા બાદ સૌએ વેલનાથ બાપુ ની જગ્યા જુના સિહોર ખાતે મહાપ્રસાદ લાભ લીધો હતો. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.