ધાંધલપુર આરોગ્ય કેન્દ્ર માં યુવા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
ભારતીય જનસંઘના સ્થાપક આદરણીય ડો . શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે આયોજિત સાયલા તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધાંધલપુર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ભાવેશભાઇ મકવાણા ,જિલ્લા યુવા ભાજપ મહામંત્રી વિજયભાઈ શેખ, તાલુકા પંચાયત પ્રમુખ ખીમાભાઇ બાવળીયા, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ડાયાલાલ જીડિયા,તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખ ગણેશભાઈ કોશીયાણીયા,સાયલા યુવા મોરચા પ્રભારી રવિરાજભાઈ ખાચર, બક્ષીપંચ મોરચાના પ્રમુખ શિવરાજભાઈ ખાચર, યુવા ભાજપ ઉપપ્રમુખ પ્રતાપભાઈ ખવડ, અગ્રણી કિશોરભાઈ મહેતા, ધાંધલપુર ગામના સરપંચ રણછોડભાઈ ,ઉપ સરપંચ સવાભાઈ તેમજ ચૂંટાયેલ સભ્યો અને કાર્યકર્તા ઊપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા જહાભાઇ અને લખમશીભાઈએ જહેમત ઉઠાવી હતી ...
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
![](https://atthistime.in/wp-content/uploads/2018/04/playstore.png)