મોદીની 45 કલાકની સાધના પૂર્ણ:વિવેકાનંદ રોક મેમોરિયલમાં 3 દિવસ રહ્યા; સૂર્યને અર્ઘ્ય આપ્યું અને ધ્યાન મંડપમની પરિક્રમા કરી - At This Time

મોદીની 45 કલાકની સાધના પૂર્ણ:વિવેકાનંદ રોક મેમોરિયલમાં 3 દિવસ રહ્યા; સૂર્યને અર્ઘ્ય આપ્યું અને ધ્યાન મંડપમની પરિક્રમા કરી


PM નરેન્દ્ર મોદીની કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે 45 કલાકની ધ્યાન સાધના પૂર્ણ થઈ છે. શનિવાર (1 જૂન) ત્રીજો દિવસ હતો. આજે સૂર્યોદય સમયે મોદીએ સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યું હતું અને ધ્યાન મંડપમની પરિક્રમા કરી. આજની તસવીરોમાં મોદી ધ્યાન મંડપમના કોરિડોરમાં બેસીને રુદ્રાક્ષની માળાના જાપ કરતા અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પ્રણામ કરતાં જોવા મળ્યા હતા. તેઓ આજે સાંજે વિવેકાનંદ રોક મેમોરિયલથી બહાર આવશે. મોદી 30 મેના રોજ અહીં પહોંચ્યા હતા. 31 મે (શુક્રવાર)ના રોજ તેમના ધ્યાનની તસવીરો સામે આવી હતી. તેઓ કેસરી વસ્ત્રો, હાથમાં રુદ્રાક્ષની માળા અને કપાળ પર તિલક કરેલા જોવા મળ્યા હતા. સવારે તેમણે સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યું, મંદિરની પરિક્રમા કરી અને ધ્યાનની મુદ્રામાં બેઠા. ગુરુવારે સાંજે જ્યારે પીએમ કન્યાકુમારી પહોંચ્યા ત્યારે તેમણે સૌથી પહેલું કામ ભગવતી દેવી અમ્માન મંદિરમાં પૂજા કરવાનું કર્યું. તેમણે પૂજા દરમિયાન સફેદ મુંડુ (દક્ષિણ ભારતનું વસ્ત્ર) અને શાલ પહેરી હતી. પૂજારીઓએ તેમના માટે વિશેષ આરતી કરી હતી. પ્રસાદ, શાલ અને દેવીનું ચિત્ર આપ્યું. કોંગ્રેસે અરજીમાં કહ્યું- આ વોટ મેળવવાનો પ્રયાસ છે, કાર્યવાહી થવી જોઈએ
તામિલનાડુ કોંગ્રેસ સમિતિએ મદ્રાસ હાઈકોર્ટમાં કરેલી અરજીમાં કહ્યું છે કે વડાપ્રધાનની વિવેકાનંદ રોકની મુલાકાત સામે કોઈને વાંધો નથી, પરંતુ લોકસભા 2024ની ચૂંટણીના 7મા તબક્કા દરમિયાન તેમની મુલાકાત એ હિન્દુ ભાવનાઓને ઉશ્કેરવા અને તેમના સત્તાવાર પદનો દુરુપયોગ કરીને મત મેળવવાનો પ્રયાસ છે, તેથી આ અંગે કાર્યવાહી થવી જોઈએ. બીજી તરફ, મોદીની કન્યાકુમારીની મુલાકાત અંગે થંગથાઈ પેરિયાર દ્રવિદર કઝગમ નામના સંગઠને ગુરુવારે વડાપ્રધાનના વિરોધમાં મદુરાઈમાં કાળા ઝંડા બતાવ્યા હતા. આ સંગઠને X પર #ગો બેક મોદી (મોદી પાછા જાઓ) પોસ્ટ કર્યું છે. ધ્યાનયાત્રા કરવા પર ચૂંટણી કાયદા હેઠળ કોઈ પ્રતિબંધ નથી
ચૂંટણી દરમિયાન વડાપ્રધાનની ધ્યાનયાત્રા પર ચૂંટણી કાયદા હેઠળ કોઈ પ્રતિબંધ નથી. ચૂંટણીપંચે 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન પણ PMને આવી જ મંજૂરી આપી હતી. કોંગ્રેસે 29 મેના રોજ આરોપ લગાવ્યો હતો કે PMની ધ્યાનયાત્રા આચારસંહિતાનું ઉલ્લંઘન છે. કોંગ્રેસે ચૂંટણીપંચને વિનંતી કરી કે તેઓ સુનિશ્ચિત કરે કે મોદીનું ધ્યાન મીડિયામાં પ્રસારિત ન થવા દે. જોકે જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું કે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 126 ટાંકવામાં આવ્યું છે. એમાં મૌન સમય (સાઇલન્ટ ટાઈમ) દરમિયાન જાહેરસભાઓ અથવા ચૂંટણીપ્રચાર પર પ્રતિબંધનો ઉલ્લેખ છે. મતદાન સમાપ્ત થવાના 48 કલાક પહેલાં મૌન સમય શરૂ થાય છે. લોકસભા ચૂંટણીમાં ચૂંટણીપ્રચારનો અંતિમ તબક્કો 30મીએ સાંજે 5 વાગ્યે સમાપ્ત થઈ ગયો છે. આ તબક્કામાં 1 જૂનના રોજ વારાણસી સીટ પર પણ મતદાન થશે. જાણકારોના મતે આ કાયદો માત્ર એ વિસ્તારને આવરી લે છે, જ્યાં મતદાન થવાનું છે. જૂન 1 : વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે મોદીની તસવીરો... 31 મે: વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે મોદીના ફોટા... 30 મે: વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે મોદીની 10 તસવીર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.