શ્રી વાનપ્રસ્થ સેવા સમાજ સંચાલિત જીવન સંધ્યા (વૃદ્ધાશ્રમ)નાં બા - દાદા પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ ની મુલાકાત લીધી - At This Time

શ્રી વાનપ્રસ્થ સેવા સમાજ સંચાલિત જીવન સંધ્યા (વૃદ્ધાશ્રમ)નાં બા – દાદા પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ ની મુલાકાત લીધી


આજરોજ જીવન સંધ્યા (વૃદ્ધાશ્રમ) અમદાવાદ નાં બા - દાદા સદસ્યો એ પાળિયાદ મહાજન પાંજરાપોળ ની મુલાકાત લઈ પાંજરાપોળ સંસ્થા દ્વારા અબોલ પશુઓની સેવાઓ જોઈ ખુબજ આનંદ વ્યક્ત કરવામાં આવેલ હતો,જીવન સંધ્યા ટ્રસ્ટ દ્વારા પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ નાં સેવાભાવી ટીમ નું બહુમાન કરવામાં આવેલ હતું. પાળિયાદ મહાજન પાંજરાપોળ દ્વારા બા - દાદા ને પાંજરાપોળ ની મુલાકાત માટે લઈ આવ્યા એવા શ્રી મલયભાઈ પંડિત તેમજ ડિમ્પલબેન અતુલભાઈ શાહ (પાળિયાદ વાળા)તથા ટીમ નું બહુમાન પાળિયાદ મહાજન પાંજરાપોળ દ્વારા કરવામાં આવેલ હતું જોગનુજોગ મલયભાઈ પંડિત ની આજે એનિવર્સરી હતી જેની ખુશાલી માં ગાય માતાના ઘાસચારા માં રૂ.11000 આપેલ તેમજ બીજા પણ 5100 રુ. ઘાસચારા માં મળેલ તે બદલ પાળિયાદ પાંજરાપોળ ખુબ ખુબ આભાર માને છે એમ કનુભાઈ ખાચર ની યાદી જણાવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.