"એક વૃક્ષ માતાના નામે" આહ્વાનને અનુસરીને આજે લાઠી તાલુકા ના આંસોદર ખાતે વૃક્ષારોપણ - At This Time

“એક વૃક્ષ માતાના નામે” આહ્વાનને અનુસરીને આજે લાઠી તાલુકા ના આંસોદર ખાતે વૃક્ષારોપણ


"એક વૃક્ષ માતાના નામે" આહ્વાનને અનુસરીને આજે લાઠી તાલુકા ના આંસોદર ખાતે વૃક્ષારોપણ

દામનગર ના અસોદર "એક વૃક્ષ માતાના નામે" આહ્વાનને અનુસરીને આજે લાઠી તાલુકા ના આંસોદર ખાતે વૃક્ષારોપણ સ્વામી વિવેકાનંદ વન કાર્યક્રમ અંતર્ગત યુવાઓએ વૃક્ષારોપણ કર્યું.
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ના સ્ટેટ કોઓર્ડીનેટર કૌશલભાઈ દવે ,ઝોન સંયોજક બ્રિજરાજસિંહ ગોહિલ ,અમરેલી જિલ્લા સંયોજક ચેતનભાઈ ધાનાણીના માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લા ના લાઠી તાલુકા ના આંસોદર ગામ ખાતે શાળા અને રામદેવજી મંદિર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અમરેલી જિલ્લા ભાજપ ના ઉપ પ્રમુખ મગનભાઈ કાનાણી રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને શાળા ના આચાર્ય સુરેશભાઈ નાગલા ગામ ના સરપંચ યુવા મોરચા ના સભ્યો અને ગામ ના આગેવાનો હાજર રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન લાઠી તાલુકા સંયોજક મોહિત ગઢવી અને સંજયભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.