મનપામાં લગ્ન નોંધણી માટે કપલને આવવું ફરજિયાત
રાજકોટ મહાનગરપાલિકામાં પેધી ગયેલા અધિકારીઓ ઘરની ધોરાજી ચલાવતા હોવાની રાવ તાજેતરમાં જનરલ બોર્ડમાં શાસક પક્ષ ભાજપના નગરસેવકોએ જ ઉઠાવી હતી અને હવે તેને સમર્થન આપતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં મહાનગરપાલિકામાં લગ્ન નોંધણી માટે નવયુગલને આવવું ફરજિયાત ન હોવા છતાં આવવા માટે ફરજ પાડવામાં આવતી હોવાની રાવ ઉઠી છે. લગ્ન નોંધણી શાખામાં આરોગ્ય અધિકારી ડો.જયેશ વંકાણી ઘરની ધોરાજી ચલાવતા હોવાની ફરિયાદો ઉઠી છે. બીજીબાજુ આખા શહેરમાં એકમાત્ર સેન્ટ્રલ ઝોનમાં જ લગ્ન નોંધણી થતી હોય મનપામાં આવતા નવયુગલોને આખો દિવસ આ કામગીરી પાછળ હેરાન થવું પડતું હોવાની ફરિયાદો પણ ઉઠી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
