નવજ્યોત વિદ્યાલય ખાતે પાલિકા પ્રમુખ નારોલા ની ઉપસ્થિતિ માં વિશ્વ યોગ દિવસ ઉજવાયો - At This Time

નવજ્યોત વિદ્યાલય ખાતે પાલિકા પ્રમુખ નારોલા ની ઉપસ્થિતિ માં વિશ્વ યોગ દિવસ ઉજવાયો


નવજ્યોત વિદ્યાલય ખાતે પાલિકા પ્રમુખ નારોલા ની ઉપસ્થિતિ માં વિશ્વ યોગ દિવસ ઉજવાયો

દામનગર નેહરુ યુવા કેન્દ્ર અમરેલી દ્વારા આજરોજ દામનગર નવજ્યોત સ્કૂલ ખાતે વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ શિબિર યોજવામાં આવેલ હતી . આ કાર્યક્ર્મમા દામનગર નગરપાલિકા પ્રમુખ ગોબરભાઇ નારોલા, પ્રિન્સીપાલ વિપુલભાઈ વોરા બટુકભાઈ શિયાણી નેહરુ યુવા કેન્દ્ર તરફથી જયદીપસિંહ ચૌહાણ અને સ્કૂલના શિક્ષક અને વિધાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાણા હતા. બધા મહેમાનોનું જયદીપસિંહ ચૌહાણ દ્વારા યોગ ની બુકથી સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રોગ્રામમા કોમન યોગા પ્રોટોકોલ કરવવામાં આવ્યા હતા. આ પ્રોગ્રામ ની થીમ "સ્વય અને સમાજ માટે યોગ" હતી . છેલ્લે નેહરુ યુવા કેન્દ્ર શું કામગિરી કરે છે તેમની વિદ્યાર્થીઓને માહીતિ અને વિધાર્થીઓને મોટિવેટ કરવામાં આવ્યાં હતા. બધા વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં યોગ અપનાવશે એવા સંકલ્પ સાથે છેલ્લે મહેમાનશ્રીઓ અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.