તાલાલા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા પ્રત્યે લોકોને જાગૃત કરતી સ્વચ્છતા રેલી યોજાઈ - At This Time

તાલાલા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા પ્રત્યે લોકોને જાગૃત કરતી સ્વચ્છતા રેલી યોજાઈ


તાલાલા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા પ્રત્યે લોકોને જાગૃત કરતી સ્વચ્છતા રેલી યોજાઈ
-------------------
ગીર સોમનાથ, તા.૧૯: સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અભિયાન અંતર્ગત તાલાલા નગરપાલિકાનાં ચીફ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા હાઇસ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને સ્વચ્છતા રેલી યોજાઈ હતી.

તાલાલા ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડે જણાવ્યું હતું કે, નાગરિકોને ગંદકી ન કરવાં અને કાયમી સ્વચ્છતા રાખવા અનુરોધ કર્યો હતો.

નગરપાલિકા હાઇસ્કુલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો અને તાલાલા શહેરને નાગરિકો કાયમી સ્વચ્છતા અનુસરવા માટેનો સંદેશ આપવામાં આવ્યો હતો.

હાઈસ્કૂલના વિધાર્થીઓ, શિક્ષકો અને નગરપાલિકાના કર્મચારીઓ સહિતનાં લોકોએ સ્વચ્છતા શપથ લઈ સ્વચ્છતા સ્લોગન, સ્વચ્છતા બેનરો, સ્વચ્છતાના સૂત્રોચ્ચાર સાથે નાગરિકો સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા આવે તે માટે સ્વચ્છતા રેલી યોજાઇ હતી.
૦૦ ૦૦૦ ૦૦ ૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.